________________
૯૬ “અહોકાય, કાયસંફાસં.” અર્થ - અધઃકાય અર્થાત આપના પગોને મારા હાથ અને લલાટે કરી રૂડી રીતે સ્પર્શ કરવાને મને આજ્ઞા આપો. (ગુરુની આજ્ઞા પામીને, ગુરુના ચરણ પ્રત્યે પોતાના હાથ તથા મસ્તકે કરી સ્પર્શે, પછી ઉભો થઈ મસ્તકે બેહાથ લગાડી ગુરુની સન્મુખ દૃષ્ટિ રાખી.)
“ખમણિજ્જો ભે” ઈત્યાદિ પદો કહે.
અર્થ:- હે ભગવંત! કાંઈ ખેદ ઉપજાવ્યો હોય તે ખમજો. અલ્પ ગ્લાનિવાળા એવા આપને ઘણા સમાધિભાવે કરીને (આપનો) દિવસ વિત્યો છે?
ગુરુ તહત્તિ કહે તેમજ વ્યતીત થયો છે. પછી શિષ્ય કહે. જ-ત્તા બે ઝા.
અર્થ - હે કરુણાસમુદ્ર ! આપને તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાયરૂપ યાત્રા અવ્યાબાધપણે વર્તે છે?
ગુરુ કહે - તુક્મપિ વટ્ટએ? તમને પણ વર્તે છે? પછી શિષ્ય કહે. જ-વ-
ણિર્જ ચ બે પા! અર્થ :- ઇન્દ્રિય અને નોઈદ્રિયથી પીડા નહીં પામતું એવું આપનું શરીર છે?
ગુરુ કહે - (એવું) એમજ છે.
ખામેમિ, ખમાસમણો ! દેવસિએ વાંક્કમંદા