________________
૯૭
અર્થ :- હે ક્ષમાશ્રમણ ! દિવસ સંબંધી મારા અપરાધ પ્રત્યે હું ખાખું છું. ગુરુ કહે (અહમવિ ખામેમિ તુમ) હું પણ તને ખાસું છું.
આવસ્ટિઆએ પડિક્કમામિ ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ,
અર્થ :- આવશ્યક કર્તવ્ય જે ચરણસિત્તરી અને કરણસિત્તરી આદિ સેવતાં-પાળતાં જે અતિચાર લાગ્યો હોય તે થકી હું નિવત્તું છું. (વળી) ક્ષમાશ્રમણ સંબંધી દિવસને વિષે થઈ હોય એવી આશાતનાએ કરીને.
*તિત્તીસન્નયરાએ, જંકિંચિ મિચ્છાએ મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ.
* ગુરુ મહારાજ સંબંધી તેત્રીશ આશાતના અવશ્ય વર્જવી જોઈએ. તે આ પ્રમાણે
૧-૯ ગુરુ મહારાજની ૧ આગળ, ૨ પડખે (બંને પાસે) તેમજ ૩ અત્યંત નજદીક અડકીને. ૧ ચાલતાં - હીંડતાં. ૨ ઉભા રહેતાં અને ૩ બેસતાં આશાતના લાગે છે.પરંતુ જો ખાસ અગત્યના કારણસર તેમ કરવું પડે, તો આશય શુદ્ધિથી અને અધિક લાભના કારણથી આશાતના દોષ ગણાતો નથી. એમ દરેકના ત્રણ ત્રણ ભેદ કરતાં તેના ૯ ભેદ થઈ શકે છે. ૧૦ ગુરુ મહારાજ પહેલાં ભોજન વખતે ચળું કરી લેવાથી કે આચમન લેવાથી દોષ લાગે. ૧૧ બહારથી ગુરુ સાથે આવ્યા છતાં જો ગુરુમહારાજ થકી પહેલાં ગમણાગમણે આલોવે એટલે ‘ઇરિયાવહી' પડિક્કમે તો ગુરુનો અનાદર-વિનયભંગ કરવાથી દોષ લાગે. ૧૨ રાત્રિસંથારો કર્યા બાદ ગુરુ મહારાજ કંઈ પૂછે કે બોલાવે ત્યારે સાંભળ્યું, નહિ સાંભળ્યું કરી કશો ઉત્તર નહિ આપતાં કેવળ મૌન જ ધારી રહે તો આશાતના લાગે . ૧૩
૭