________________
[૮૯
અર્થ - જ્ઞાનને વિષે, દર્શનને વિષે, ચારિત્રને વિષે, તપને વિષે તેમજ વીર્યને વિષે જે આચરણ તે આચાર કહેવાય; એ પાંચ પ્રકારે આચાર આ પ્રમાણે કહ્યો છે. ૧
કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્યવણે તે વંજણ-અત્ય-તદુભએ, અટ્ટવિહો નાણમાયારો રાગ
અર્થ:- જે કાળે જે ભણવાની આજ્ઞા હોય તે કાળે તે ભણવું તે કાળ આચાર, જ્ઞાનીનો વિનય, વંદન પ્રમુખ સાચવવાં તે વિનય આચાર; જ્ઞાની ઉપર અંતરંગ પ્રેમ તે બહુમાન; સૂત્રો ભણવા તપ વિશેષ કરવો તે ઉપધાન; તેમજ ભણાવનાર ગુરૂને ન ઓળવવા તે અનિહવણ; સૂત્ર-અક્ષરનો શુદ્ધ ઉચ્ચાર કરવો તે વ્યંજન, સાચો અર્થ કરવો તે અર્થ, તથા બંને શુદ્ધ ભણવાં તે તદુભય, એ આઠ પ્રકારે જ્ઞાનાચાર કહ્યો છે. ૨
નિસૅકિઅ નિક્કખિચ, નિવિતિગિચ્છા અમૂઢદિટ્ટી આ ઉવવૂહથિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટ્ટ II
અર્થ - વીતરાગના વચનમાં શંકા ન કરવી તે નિઃશંકિત, જિનમત વિના અન્યમતની ઈચ્છા ન કરવી તે નિઃકાંક્ષિત, સાધુસાધ્વીના મલિન વસ્ત્ર, ગાત્ર દેખી દુર્ગછા ન કરવી તે નિર્વિતિગિચ્છા; મિથ્યાત્વના કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી તેનાથી ૧. સપ્તમસ્થાન દ્વિતીયા.