________________
પ૩ અર્થ -પુરૂષને વિષે ઉત્તમને, પુરૂષને વિષે સિંહ સમાનને, પુરૂષને વિષે ઉત્તમ પુંડરીક (કમળ) સમાનને, પુરૂષને વિષે પ્રધાન ગંધહસ્તિ સમાનને. ૩ લોગુત્તરમાણે, લોગનાહાણે, લોગડિઆણં, લોગપઈવાણું, લોગપજ્જો અગરાણે જા
અર્થ - લોકને વિષે ઉત્તમને, લોકોના નાથને, લોકના હિત કરનારને, લોકને વિષે દીવા સમાનને, લોકમાં પ્રકાશ કરનારને. ૪
૪
આ (૧ થી ૪) ચાર અતિશય જન્મથી જ હોય, માટે સ્વાભાવિક સહજાતિશય અથવા મૂલાતિશય કહેવાય છે. યોજન પ્રમાણ સમવસરણમાં મનુષ્ય, દેવ, અને તિર્યંચની કોડાકોડી સમાય અને તેમને બાધા થાય નહિ. ચારે બાજુ પચીસ-પચીસ યોજન સુધી પૂર્વોત્પન્ન રોગ ઉપશમે અને નવા રોગ થાય નહિ. વૈરભાવ જાય. મરકી થાય નહિ. અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંત વરસાદ થાય નહિ. અનાવૃષ્ટિ એટલે વરસાદનો અભાવ થાય નહિ. દુર્ભિક્ષ એટલે દુકાળ ન પડે. સ્વચક્ર અને પરચક્રનો ભય ન હોય. ભગવંતની ભાષા મનુષ્ય, તિર્યંચ અને દેવતા પોતપોતાની ભાષામાં સમજે.(વાણી પાંત્રીશ ગુણવાળી હોય છે, તે ગુણો નવકારની ફુટનોટમાં છે. પેજ નં. ૧૦ ઉપર). એક યોજન સુધી સરખી રીતે ભગવંતની વાણી સંભળાય. સૂર્યથી બારગણા તેજવાળું ભામંડળ હોય.
? ?
?
૧૫.