________________
જીવા -
· જીવો.
પાર્વતિ - પામે. ન - નહીં.
દુર્ખ - દુઃખ. દોગચ્ચું - દુર્ભાગ્ય. તુહ - તમારું.
સમ્મત્તે - સમકિત દર્શન.
૬૦
કપ્પપાયવમહિએ – કલ્પવૃક્ષથી અધિક.
પાર્વતિ - પામે છે.
અવિચ્છેણું - નિર્વિઘ્નપણે.
જીવા - જીવો. અયરામર - અજરામર.
ઠાણું - સ્થાનને.
ઈઅ - એ પ્રકારે.
લન્ને - પામ્યે છતે.
સંઘુઓ - સ્તવેલા.
ચિંતામણિ - ચિંતામણિ રત્ન. મહાયસ - હે મોટા યશવાળા ! ભત્તિધ્મર - ભક્તિના સમૂહે કરી.
ગુરુમહારાજે છેલ્લી બે ગાથા ભંડારી મુકી અને હાલ છે તે પાંચ ગાથા કાયમ રાખી. આ સ્તોત્રમાં શ્રી પાર્શ્વનાથજી તથા તેમના યક્ષ પાર્શ્વ અને પદ્માવતી તથા ધરણેન્દ્રની દ્વિઅર્થી સ્તુતિ છે. તે જાણવાની ઈચ્છાવાળાએ ટીકા જેવી. દરેક ગાથાના પહેલા પદનો અર્થ એકત્ર કરતાં પંચપરમેષ્ઠિને નમસ્કાર થાય છે. તે આ પ્રમાણે ૧. ઉવ - ઉપાધ્યાય. ૨. વિસ - એ બે અક્ષર વડે સાધુઓ લેવા. સર્વ રસમય વિષને દેખાડનાર તે સાધુઓ. ૩. ચિઠ્ઠ - પદવડે આચાર્ય લેવા. શ્રી તીર્થંકર મોક્ષે ગયે છતે જ્યાં સુધી શાસન રહે ત્યાં સુધી રહે તે અથવા તત્ત્વથી એકત્ર કરેલ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપમાં રહેવાવાળા. ૪. તુષ - પદવડે અરિહંત લેવા. તોહિંતિ - અર્દયન્તિ અર્થાત્ ઘાતીકર્મોને અને સકળ સંશયને નાશ કરે તે અરિહંત. ૫. ઈઅ પદ વડે સિદ્ધ-ભગવંત લેવા. ‘ઇણક્ ગતૌ’ અર્થાત્ અપુનરાવૃત્તિમાં મોક્ષમાં ગયા તે સિદ્ધો. અહીં પરમેષ્ઠીનો ક્રમ આ પ્રમાણે કર્યો તેનો હેતુ આ પ્રમાણે જાણવો. સૂત્ર ઉપાધ્યાયની પાસે ભણાય, તેથી પ્રથમ ઉપાધ્યાયને નમસ્કાર કર્યો, ઉપાધ્યાય સમીપે અભ્યાસ કરતા સાધુઓને સાધુ સહાય કરે, માટે બીજો સાધુને નમસ્કાર કર્યો. ભણેલ સૂત્રનો અર્થ આચાર્યો કહે, તેથી ત્રીજો આચાર્યને નમસ્કાર કર્યો. આચાર્યના ઉપદેશથી અરિહંતપણાનું જ્ઞાન થાય, માટે ચોથો અરિહંતને નમસ્કાર કર્યો અને પાંચમો સર્વસિદ્ધોને નમસ્કાર કર્યો.