________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાકશાસ્ત્ર.
(મદ્રાસી રીતીના સૂપશાસ્ત્ર અંક ૧લા ભાગ ૧ લા ઉપરથી.)
સામાન્ય સમજુતી.
રડું. રસોડું આસરે ૫૦ હાથ લાંબું અને સાડાબાર હાથ પહોળું રાખવું જોઈએ અને તેમાંથી ધુમાડે નિકળી જવા સારૂ ધુમાડિયું જોઈએ. પૂર્વ દિશા તરફ જમીનમાં નવ ગ્રહની સોનાની મૂર્તિ દાટી, તે ઉપર પશ્ચિમ તરફનું મોં રાખી ચૂલે થાપ. એને આકાર ગપુચ્છાકૃતિ એટલે ગાયના પુછડાના ઘાટ જેવો રાખ. આ ચૂલે એકલી માટીને અથવા ઇંટ અને માટીને કરી તેની અગાડી ચૂલાના પ્રમાણમાં એક નાની એટલી થાપવી. વળી આ ઓટલી ઉપર શાક મૂકવાને માટે અથવા જે વાસણમાં ભાતનું ઓસામણ એસાવી કાઢવાનું હોય તે મૂકવાને માટે એક ખાડે કરો અથવા તે બરોબર રહે તેવી સંઘવડ રાખવી.
ઉપર જણાવેલા ચૂલામાં દેવતા નાખવો હોય તે રસોડામાં લાવી પહેલાં તેને અગ્નિ દિશામાં મૂક, પછી ચૂલામાં નાખવે. લાકડાં, સુપડું, સાવરણ દક્ષિણ દિશામાં રાખવાં. પાણી નિત્ય દિશામાં રાખવું. વાયવ્ય દિશામાં ખાંડણિયે દાટ. ઇશાન દિશામાં મુસલું, ખાણ દાંડે, નિસા અને નિસાતરે, તથા શાક તરકારી રાખવાં; તથા પૂર્વ બાજુએ ચૂલાની પાસે રાઈનાં વાસણ મૂકવાં.
For Private and Personal Use Only