________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯), તા નાળામાં પલાળી મૂકવી. પછી તે કાઢી લુછી નાખી તેને છેલ્લી નાખવી. ત્યાર પછી તેને ચીરી ગેટલીઓ કાઢી નાખી ચીરિયાના કકડા કરવા. પછી આઠ શેર મીઠું લઈ તેમાંથી કાંકરા, માટી વગેરે કાઢી નાખી બે કલાક તડકે ખવડાવ્યા પછી તેને ઝીણું વાટી રાખવું. તેવી જ રીતે ચોવીસ રૂપિયા ભાર સૂકાં મરચાં, છ રૂપિયા ભાર મરી, પંદર રૂપિયા ભાર રાઈ, બાર રૂપિયા ભાર જીરૂં, સાડાતેર રૂપિયા ભાર મેથી, ત્રણ ત્રણ રૂપિયા ભાર હળદર, જાયફળ, જાવંત્રી તથા એલચી, દેઢ રૂપિયા ભાર લવિંગ, દેઢ રૂપિયા ભાર કેસર, આ જણસે હળદર અને કેશર શિવાય અચ્છર ઘીમાં જૂદી જૂદી સાંતળી ખાંડી ઝીણું વાટવી, અને તેમાં હળદર અને કેસર વાટી મેળવ્યા પછી તેમાં સવા ચાર શેર ભેગ વગરનું ચાખું તલનું તેલ મેળવી તેમાં ઉપરનું મીઠું પણ મેળવવું. પછી આ મસાલો ઉપર કહેલી કેરીઓના કકડામાં મેળવો.
ચૂલા ઉપર કલાઈવાળું મોટું તપેલું મૂકી તેમાં દેઢ શેર ઘી નાખવું. ઘી કકડતાં તેમાં છ રૂપિયા ભાર છોલેલું લસણ, સાડાચાર રૂપિયા ભાર જીરું, તેટલી જ મેથી અને બે મૂઠી મીઠા લિંબડાનાં પાંદડાં નાખી ઉપર વાસણ ઢાંકવું: ડી વાર પછી તે કાઢી અંદરનું લસણ જીરું વગેરે લાલ થયેલું જણાય એટલે તે વઘારમાં ઉપર જણાવેલા મસાલાવાળા કેરીના કકડા નાખી દેવા, અને તેને હલાવી ઉપરવાસણ ઢાંકી દેવું. પછી વળકે વન્યા પછી તે એક મોટી બરણીમાં ભરી તેનું મોં બંધ કરવું, ને બરણે આઠ દિવસ સુધી તડકામાં રાખવી. ત્યાર પછી આ અથાશુને ઉપગ કરવો. આ અથાણુને પંદર પંદર દિવસને આંતરે તડકામાં મૂકતા જવું,
For Private and Personal Use Only