________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૧) ણાને ચાર દિવસ સુધી દરરોજ તડકામાં મૂક્યા પછી ખાવામાં લેવું.
(યૂનાની રીતનાં અથાણું). ૨૧. કાગદી લિંબુનું અથાણું
પહેલે પ્રકાર. ર શેર કાગદી લિબુ. ૧૦ રૂ. ભાર મીઠું. ૪૩. ભાર સિંધવ.
૬ માસા ખાંડેલાં રાતાં મરચાં. ૬ માસા રાઈ.
૩ માસા જીરૂં. ૩ માસા સૂંઠ.
૨ કાગદી લિંબુ. બશેર કાગદી લિંબુની ચચ્ચાર ચીરિ કરી તેમાં દસ રૂપિયા ભાર મીઠું નાખવું. પછી તેને એક બરણીમાં ભરી, બરણને સાત દિવસ સૂધી એમને એમ રહેવા દેવી. પછી તે ચરિને એક કકડાથી લુછી નાખી, તેમાં ચાર રૂપિયા ભાર સિંધવ, છમાસા ખાંડેલાં રાતાં મરચાં, તેટલી જ રાઈ, ત્રણ માસા જીરું અને તેટલી જ સૂંઠ, એટલી ચીજો જુદી જુદી વાટી, ભેગી કરી નાખી દેવી. પછી એ અથાણાને એક બરણીમાં ભરી, તેના ઉપર બે કાગદી લિબુને રસ નિચાવી, તેને એક અગર બે દિવસ તડકામાં રાખી મૂક્યા પછી અથાણું ખાવાના ઉપયોગમાં લેવું.
બીજે પ્રકાર ૨ શેર કાગદી લિબુ. ૧૦ રૂ. ભાર મીઠું ૨ કાગદી લિબુ.
૫ રૂ. ભાર સરકે. ૫ રૂ. ભાર મીઠું. ૬ માસા મરીને ભૂકે. . બશેર કાગદી લિંબુ પથરાપર ગુંદી પિચાં કરવાં. પછી તેને એક બરણીમાં ઘાલી, તેમાં દસ રૂપિયા ભાર મીઠું નાખી, ઘણીવાર સુધી હલાવી હલાવ કરી, બે અગર ત્રણ દિવસ એમને એમ
૧૧
For Private and Personal Use Only