________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૨) મીઠું, જીરું અને હિંગ નાખી તેની વડી પાડવી. અને તે સૂકાયા પછી ઘીમાં અગર તેલમાં તળીને ખાવી.
૮. વાલના લાટની વડી'. પચીસ રૂપિયા ભાર વાલને લોટ અને તેટલે જ અડદને લોટ એક કરી, તેમાં સુમાર પ્રમાણે મીઠું મરચું નાખી પાણી નાખી પલાળો. પછી તેને ગુંદીને તેની વડી પાડવી, ને તે સૂકાયા પછી ઘીમાં તળીને ખાવી.
૯ પાપડીના લીલવાની વડી. પચીસ રૂપિયા ભાર પાપડીના લીલવા અડદની દાળમાં મેળવીને તેમાં પાણી નાખી પલાળી, તેની ઉપર પ્રમાણે વડી પાડી તળીને ખાવી.
૧૦. અડદની વડી. પચીસ રૂપિયા ભાર અડદની દાળ પાણીમાં આગલી રાત્રે પલાળી બીજે દિવસે તેને નિસા ઉપર વાટવી. પછી તેમાં સુમાર પ્રમાણે મીઠું મરચું, તથા ધોઈને સાફ કરેલા તલ મેળવી તેની વડી પાડવી. પછી તે બે દિવસ તડકામાં સૂકવી ઘીમાં તળીને ખાવી.
१ मोच्चको? माविन वडघं (मद्रासी ). ૨ ચૈો ફg વરઘ (મદ્રાસી ). રે વરઘ (મદ્રાસી ).
For Private and Personal Use Only