________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪) લાલ થાય એટલે બે માસા રાઈ એક માસ જીરૂ, બે માસા મીઠા લિંબડાનાં પાંદડાં અને અડધે મા હિંગ, એટલી જણસે તેમાં નાખી કડછીથી હલાવી, વઘાર તૈયાર થાય એટલે ઉપરને સાર તેમાં રેડી દે, અને તેને એક ઉભરો આવે એટલે તેમાં ચાર માસા કોથમીર નાખી વાસણ નીચે ઉતારવું.
૧૧. તિળવણીના મૂળનો સાર ૨ તિળવણના મૂળા ૨ માસા સૂકાં મરચાં. ૪ માસા જીરૂં.
૨ માસા જરૂ. ૨ માસા લસણ. ૪ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. ૧ાા રૂ. ભાર આમલી.. ૧ રૂ. ભાર મીઠું. ૪ માસા લસણુ. ૬ માસા અડદની દાળ ૧ માસે જીરૂં
૨ માસા રાઈ. ૧ રૂ. ભાર ઘી.
૨ માસ મીઠા લિંબડાનાં પાંદડાં. ૦ માસે હિંગ,
૪ માસા કોથમીર. તિળવણીના બે મૂળાને ધોઈ નાખી તેને એકસો પચીસ રૂપિયા ભાર પાણીમાં બાફવા મૂકવા. બફાઈને અડધું પાણી બળે એટલે વાસણ નીચે ઉતારવું, પછી બાકી રહેલા અડધા પાણીમાં બે માસા સૂકાં મરચાં જરાક શેકી બારિક વાટીને નાખવાં. ચાર માસા મરી, બે માસા જીરૂં, બે માસા કચરેલું લસણ, ચાર માસા મીઠા લિંબડાનાં પાંદડાં અને દોઢ રૂપિયા ભાર આમલી સાડાબાર રૂપિયા ભાર પાણીમાં ચાળી તેનું પાણી, એ સર્વ જણસો તે સારમાં નાખી વાસણ ચૂલા ઉપર મૂકવું. પછી તેમાં એક રૂપિયા ભાર મીઠું નાખી તેને હલાવી એક ઉભરે આવે એટલે તે નીચે ઉતારવું, ને ચૂલા ઉપર બીજું વાસણ મૂકી, તેમાં દેઢ રૂપિયા ભાર ઘી નાખી,તે કકડે એટલે તેમાં છ માસા અડદની દાળ અને ચાર માસા કચરેલું લસણ નાખી, તે લાલ થાય એટલે બે માસા રાઈ, એક માસે જીરૂ, બે માસા મીઠા લિંબડાનાં પાંદડાં અને અડધો
For Private and Personal Use Only