________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૫) મોટા એલચીદાણા, તેટલીજ એલચી, પણ બે રૂપિયા ભાર એખર, સાડાત્રણ રૂપિયા ભાર તજ, પાંચ રૂપિયા ભાર આસન, તેટલાંજ મરી, સાત રૂપિયા ભાર પીપળી મૂળ, પાંચ રૂપિયા ભાર ચોબચીની, પોણાબે રૂપિયા ભાર કપૂરકાચલી, અગિયાર માસા સુંઠ, પાંચ રૂપિયા ભાર જાયફળ, તેટલી જ જાવંત્રી, પશુબે રૂપિયા ભારનાગકેસર, સાડાત્રણ રૂપિયા ભાર લવિંગનાં ફૂલ, અચ્છેર છોલેલા તલ, તેટલી જ ખસખસ, એક શેર લેલી બદામ, અચ્છેર છોલેલાં પસ્તાં અને તેટલેજ અખેડને ગર, એ બધી જણસે જુદી જુદી ઝીણી વાટી કપડછાણ કરી ભેગી કરવી, અને તેમાં બશેર મધ, બે રૂપિયા ભાર સેનાના વરખ, પાંચ રૂપિયા ભારચાંદીના વરખ અને બદામનું સાત રૂપિયા ભાર તેલ નાખી, એ બધાને એક ઘડી સૂધી ખલ કરે. પછી પાંચ શેર ખાંડમાં પાછું રેડી તેની એક તારી ચાસણી કરવી, અને ઘઉને એક શેર મેદે, અર નિશાસ્તો, અને ત્રણ શેર ઘઉંને સત્વ, એ ત્રણે જણ ભેગી કરી તેમાં બાર શેર પાણી નાખી ચૂલા પર મૂકી આશરે ચાર ઘડી સૂધી ચઢવા દે. અને તે સારો ચઢે એટલે તેમાં અશેર ઘી અને ઉપરની ચાસણી નાખી દઈ તેને ફરીથી બે ઘડી સૂધી વારે વારે હલાવી ચઢવા દે. પછી પાશેર કાસનીનાં બિયાં અને તેટલાંજ ખરફાનાં બિયાં, એ બંને જણાને એક શેર પાણીમાંથી થોડું થોડું પાણું નાખી ઝીણી વાટવી, ને તે બાકી રહેલા પાણીમાં નાખી તે પાણી ગાળી લેઈ તેને ઉપરના હલવામાં રેડી દેવું. પછી નીચે તાપ ઓછો કરી તે ડીવાર ચઢે એટલે તેમાં ખલ કરી રાખેલે ઉપરને મસાલે નાખવે, અને આ હલ તબેથાથી હલાવી હલાવ કરી, ચઢી તૈયાર થાય એટલે
* ઘઉંને પાંચ દિવસ સુધી પલાળી રાખવા, અને તેને ફણગા ફૂટે એટલે તેને તડકામાં સૂકવવા. પછી તેને ઝીણા વાટી અગર દળી તેને લેટ કપડછાણ કરે તે ઘઉંને સત્વ કહેવાય છે.
For Private and Personal Use Only