________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૧) મૂકવી. પછી એક કલાઈવાળું તપેલું ચૂલા ઉપર મૂકી તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખવું. ઘી કકડે એટલે તેમાં પંદર રૂપિયા ભાર સમારેલા કાંદા અને ત્રણ રૂપિયા ભાર છેલીને સમારેલું લસણ નાખી હલાવી લાલ રંગના થાય એટલે તેમાં ઉપરના કકડા (વડી) અને મસાલાનું પાણી રેડવું, અને હલાવી નીચે તાપ કરે. કેળનુ ઉકળીને તૈયાર થાય એટલે તેમાં એક લીલા નાળિયેરનું દૂધ નાખવું. પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરું અને મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં, એને વઘાર કરો. અને હલાવીને નીચે ઉતારવું.
૧૬. પકવાડા કેળબુ. ૧૫ રૂ. ભાર ચણાની દાળ. ૧૦ લીલાં મરચાં. ૯ માસા મીઠું.
૩૦ રૂ. ભાર ઘી.
૧૫ રૂ. ભાર કાંદા. - પંદર રૂપિયા ભાર ચણાની દાળ પાણીમાં પલાળવી. પલળે એટલે તેને કાઢીને ઝીણી વાટવી. પછી પંદર રૂપિયા ભાર કાંદા તથા દસ લીલાં મરચાં, એ બન્નેને ઝીણું સમારીને તે તથા નવ માસા મીઠું ઉપરની વાટેલી દાળમાં નાખી, થોડું પાણું નાખી ઘળી એકસાન કરવું. પછી ચૂલા ઉપર પાણીમાં ત્રીસ રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે એટલે ઉપરની દાળનાં વડાં બનાવી તેમાં તળવા મૂકવાં અને તળાય એટલે બહાર કાઢવાં.
પહેલાં સૂરણ અને અળવી એનું કળબુ કરવાની કૃતિ અને તેમાં જોઈતી વસ્તુઓ બતાવી છે તે જ પ્રમાણે કેળબુ કરીને, તેમાં સૂરણ અને અળવીને ઠેકાણે ઉપરનાં વડાં નાખી કેળંબુ કરવું. આ કેળબુ ખાધાથી ઝાડે સાફ ઉતરે છે.
For Private and Personal Use Only