________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૦) પછી તે દળી તેમાં સાડાબાર રૂપિયા ભાર ખાંડ ને તેટલું જ ઘી નાખી લાડુ કરવા.
૧૨. તુવેરની દાળના લાડુ ૧ શેર તુવેરની દાળ. ૧ શેર ગોળ. તુવેર શેકી તેની સ્વચ્છ દાળ કરવી, ને તેમાંથી એક શેર લેવી. પછી એક શેર ગોળમાં થોડું પાણી નાખી તેને પાક કરી તેમાં તે દાળ મેળવી લાડુ કરવા.
(મુસલમાની રીત પ્રમાણે). ૧૩. મોતીચુરના લાડુ
(બુંદીના અથવા કળીના લાડુ). ૧ શેર ચણાની દાળ. ટા શેર દહીં. ૧ શેર ઘી.
ર શેર ખાંડ. ટા શેર ગુલાબજળ. ૪ માસા કેસર. ૨૩. ભાર ઘી.
શેર બેદાણ. ચણાની એક શેર દાળ પાણીમાં પલાળી, પલળે એટલે તેને કાઢી લેઈ નિસાપર ઝીણી વાટવી. પછી તેને કકડામાં નાખી નિચોવવી એટલે તેમાંનું પાણી નિકળી જશે. પછી આ વાટેલી દાળમાં બે રૂપિયા ભાર ઘી અને પાશેર દહીં નાખી, તે ચાર ઘડી સૂધી હાથથી ફીણ એક ઘડી સુધી રહેવા દેવી. પછી ચૂલા પર પણ મૂકી તેમાં એક શેર ઘી નાખી તે તપે એટલે તેમાં ઉપરની વાટને ફીણેલી દાળની ઝીણા કાણાવાળા ઝારાથી બુંદી (કળી) પાડવી, અને તે તળાય એટલે તેને કાઢી લેવી.
For Private and Personal Use Only