________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩) ૧૦. અથાણાની કેરીના ગોટલાને સાર, ૫ કેરીના ગોટલા. ૨ માસા લાલ મરચાં. ૪ માસા મરી.
૨ માસા જી. ૨ માસા લસણ.
૧ માસ મીઠા લિંબડાનાં પાંદડાં. ૧ રૂ. ભાર આમલી. ૬ માસા અગર એક રૂપિયા ભાર ના રૂ. ભાર ઘી.
મીઠું. ૪ માસા લસણું.
૬ માસા અડદની દાળ.. ૧ માસ રૂ.
૨ માસા રાઈ. બે માસ હિંગ. ૨ માસા મીઠા લિમડાનાં પાંદડાં..
૪ માસા કોથમીર. અથાણાની કેરીઓના પાંચ ગેટલા લઈ તેને એક કલાક સૂધી પાણીમાં પલાળી રાખવા. પછી તેને સ્વચ્છ ધોઈ તેનાં હેડાં ફાડવા માટે તેને જરાક ફૂટવા; પરંતુ અંદરની ગોટલીઓ કાઢી નાખવી નહીં. પછી એક વાસણમાં એકસો પચીસ રૂપિયા ભાર પાણી અને પાંચ ગેટલા નાખી તેને ચૂલા ઉપર મૂકવું. તેમાંનું નીમે પાણી બળી જાય એટલે વાસણ નીચે ઉતારી લઈ તેમાંનું પાણી ગાળી લેવું. બે માસા સૂકાં મરચાં અડધાપડધાં શેકી બારિક વાટી તે, ચાર માસા મરી અને બે માસા, જીરું એને ભરડે, બે માસા લસણ અને એક માસે મીઠા લિંબડાના પાંદડાં એ બન્ને વાનાં જરાક ફૂટીને તે, એક રૂપિયા ભાર આમલી સાઢાબાર રૂપિયા ભાર પાણીમાં ચાળી તેનું પાણી, એ સર્વ જણસે ઉપરના સારમાં નાખી દઈ, કેરીના ગોટલા મીઠું દીધેલા (ખારા. કરેલા)ોય તો છ માસા મીઠું તેમાં નાખવું નહીં તે એક રૂપિયા ભાર મીઠું તેમાં નાખવું. પછી તે સાર ચૂલા ઉપર મૂકી તેને એક ઉભરો આવે એટલે તે નીચે ઉતારી લઈ, બીજું વાસણ ચૂલા ઉપર મૂકવું, અને તેમાં દોઢ રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે એટલે તેમાં છ માસા અડદની દાળ અને ચાર માસા કચરેલું લસણ નાખી, તે
For Private and Personal Use Only