________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮) જણસને બે રૂપિયા ભાર ઘીમાં તળીને ઝીણી વાટવી, અને તે ભૂકે ત્રણ શેર પાણીમાં મેળવ. તેમજ બે રૂપિયા ભાર અડદની દાળ એક રૂપિયા ભાર ઘીમાં તળીને ઉપરના પાણીમાં મેળવી, તેને ચૂલા ઉપર ચડવા દેવી. ઉકળતી વખતે તેમાં ત્રીસ રૂપિયા ભાર સૂરણના કકડા જૂદા બાફી તે તથા એક રૂપિયા ભાર મીઠું તેમાં નાખી બરાબર તૈિયાર થવા દેવું. પછી આ કળબુમાં દોઢ રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ, અને એક મૂઠી લિંબડાનાં પાંદડાં, એને વઘાર કરે, અને પછી તે નીચે ઉતારવું.
૧૨. અળવીને મરીનું કેળબુ'. ૧ શેર અળવી.
૨ રૂ. ભાર મરી. ૨ રૂ. ભાર અડદની દાળ. ૧૦ મીઠા લિંબડાનાં પાંદડાં. ૨ રૂ. ભાર આમલી. ૨ રૂ. ભાર ઘી. ૩ રૂ. ભાર ઘી.
ના રૂ. ભાર મીઠું. ૪ સૂકાં મરચાં.
૪ રૂ. ભાર અડદની દાળ. ૨ મીઠા લિંબડાની ડાંખળી. પિણાબશેર અળવી બાફીને, તેના ઉપરના છોતરાં કાઢી નાખવાં. પછી બે રૂપિયા ભાર મરી, તેટલી જ અડદની દાળ અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, આ જણસોને બે રૂપિયા ભાર ઘીમાં તળીને વાટી નાખી તેને ભૂકે કરી મૂકો. પછી છ શેર પાણીમાં બે રૂપિયા ભાર આમલી ચોળી, તેના પાણીમાં દોઢ રૂપિયા ભાર મીઠું નાખી તેને ચૂલા ઉપર મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં ઉપરની અળવી અને તિયાર કરેલા મસાલાનો ભૂકે નાખી કેળખું તૈયાર થતાં જ તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી, ચાર રૂપિયા ભાર અડદની દાળ, ચાર સૂકાં મરચાંના કકડા અને મીઠા લિંબડાની બે ડાળીનાં પાંદડાં, એનો વઘાર કરી તે નીચે ઉતારવું.
૧ રેપ ઝિંક શોઝ (માતા).
For Private and Personal Use Only