________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦) કરી ચાદર ઉપર તેની વડીઓ પાડવી; અને તેને બે દિવસ તડકામાં સૂકવી ઘીમાં તળીને ખાવી.
૨. મેથીની. વડી'. પચીસ રૂપિયા ભાર મેથી પાણીમાં એક રાત્રી પલાળી રાખવી. પછી બીજે દિવસે તે કાઢી લઈ ખાંડી, તેમાં બે રૂપિયા ભાર જીરૂં, ત્રણ રૂપિયા ભાર લાલ ખાંડેલાં મરચાં, બે રૂપિયા ભાર મીઠું, એક મૂઠી મીઠા લિંબડાનાં પાંદડાં અને કાગદી લિંબુને જોઈએ તેટલો રસ, એ રકમો વાટીને મેળવવી. પછી તેની વડિયે પાડી તડકામાં સૂકવી ઘીમાં તળીને ખાવી.
૩. કોથમીરની વડી. કોથમીરની જુડીઓ લાવી તેમાંથી સારી કોથમીર ખી કરીને લેવી. પછી તે કોથમીર ફૂટી તેમાં સુમાર પ્રમાણે મરચાં અને મીઠું મેળવી તેની વડી પાડવી, અને તડકામાં સૂકવી ઘીમાં તળીને ખાવી.
૪. ચેખાના લોટની વડી. સવા શેર ચેખા પચીસ રૂપિયા ભાર છાશમાં પલાળી પંદર દિવસ સૂધી રાખી મૂકવા. પછી તેને પથ્થરના ખાડણિયામાં નાખી ખાંડવા. કોથમીરની પંદર જૂડીઓમાંથી સારી કોથમીર વિણ, ફૂટીને ઉપરના લોટમાં ભેળવી દેવી, અને બબ્બે રૂપિયા ભાર મીઠું, તલ અને ખાંડેલાં લાલ મરચાં ઉપરના લેટમાં ભેળવી દેઈ તેની.
૧ ચંદ વાઘ (મદ્રાસી ). ૨ વોત્તમ સ્ત્ર ૪ (ઘાસ). ३ अरशी माव वडधं ( मद्रासी
For Private and Personal Use Only