________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮) ઝીણી વાટી ઉપરના ઓસામણમાં નાખવી. પછી ત્રણ રૂપિયા ભાર નો ગોળ ઓસામણમાં ઓગાળી, તેને ચૂલા ઉપર ઉકળવા મૂકવું. ઉકળતી વખતે તેમાં નવ રૂપિયા ભાર આમલી પચીસ રૂપિયા ભાર પાણીમાં ચાળી, તેનું પાણી ઓસામણમાં રેડી, તેમાં ત્રણ રૂપિયા ભાર મીઠું અને એક માસે હિંગ નાખવી. બે ઉભરા આવે એટલે તે નીચે ઉતારી લેવું. પછી કડછી દેવતામાં તપાવી તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખી, તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ, ચાર માસા રાઈ અને ચાર માસ મીઠા લિંબડાનાં પાંદડાં નાખવાં. અડદની દાળ લાલ થાય એટલે ઉપરના સારમાં તેને વઘાર કરે. પછી તેમાં આઠ માસા કેથમીર અને મીઠા લિંબડાની બે ડાંખળીઓ નાખી, ફરીથી સાર ચૂલા ઉપર મૂકી, એક ઉભરો આવે એટલે નીચે ઉતારી મૂકવે.
આજે પ્રકાર
૧૨૫ રૂ. ભાર તુવેરની દાળ. ૬ માસા સૂકાં મરચાં. ૧ રૂ. ભાર મરી. ૪ માસા જીરૂં. ૪ માસા લસણ. ૪ માસા મીઠા લિમડાનાં પાંદડાં. છે રૂ. ભાર જૂની આમલી. ૩ રૂ. ભાર મીઠું. ૩ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર અડદની દાળ. ૮ માસા લસણ. ૪ માસા રાઈ. ૨ માસા જીરૂં.
૪ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. ૧ માસો હિંગ. ૮ માસા કોથમીર.
એકસો પચીસ રૂપિયા ભાર ચેખી તુવેરની દાળ સાડાચાર શેર આધારણના પાણીમાં ઓરી, ઉપર પ્રમાણે એકસો પચીસ રૂપિયા ભાર ઓસામણ રહે એટલે ઉતારી લેવું. પછી છ માસા સૂકાં મરચાં અડધાં પડધાં શેકી નિસા ઉપર બારિક વાટી તે તથા એક રૂપિયા ભાર મરી અને ચાર માસા જીરૂં, એને નિસા ઉપર અદખરાં
For Private and Personal Use Only