________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મરચાંના ઝીણું કકડા અને મીઠા લિબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી તેમાં ઉપર બતાવેલે લેટ નાખી હલાવી નીચે ઉતારે.
૧૧. તુવેરની દાળની ચટણી'.
પહેલો પ્રકાર, ચાર રૂપિયા ભાર તુવેરની દાળ અને દસ સૂકાં મરચાં, આ બે જણસ ત્રણ રૂપિયા ભાર ઘીમાં તળી તેમાં ચાર માસા મીઠું મેળવવું. પછી તેમાં થોડું પાણી મેળવી વાટીને તે ચટણી ભાત સાથે ખાવી.
બીજે પ્રકાર સામાન અને બનાવવાની રીત ઉપર પ્રમાણે જાણવી. માત્ર આ પ્રકારમાં સાડાચાર માસા આમલી નાખીને તે વાટવી. આ ચટણી ખાધાથી અરૂચિ જાય છે.
૧૨. અડદની દાળની ચટણી*.
પહેલા પ્રકાર. સાડાચાર રૂપિયા ભાર અડદની દાળ અને પાંચ સૂકાં મરચાંના કકડા, દેઢ રૂપિયા ભાર ઘીમાં તળી તેમાં ચાર માસા મીઠું નાખવું. પછી આ ચટણ વાટી ભાતમાં નાખી ખાવી. આ પ્રમાણે પણ તુવેરની દાળની ચટણી કરે છે.
१ तुवरं परुप्पु त्वयल ( मद्रासी). २ उळुतं परुप्पु साधा तुवेल (मद्रासी ).
For Private and Personal Use Only