________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) (ઈગ્રેજી રીતની).
૪૨. કેરીની ચટણી, એક શેર છેલીને કકડા કરેલી કાચી કેરી, તેટલું જ લીલા નાળિયેરનું કે પરૂં, અડધે શેર લેલું લસણ અને તેટલું જ છેલેલું આદુ, એ બધી જણસોને કૂટી રાખવી. તેમજ પાશેર રાઈ અને તેટલાં જ મરી, એ બનેને પાશેર સરકામાં નાખી વાટવાં. તે જ પ્રમાણે એક શેર સૂકાં મરચાં, તેટલી જ ખાંડ, અડછે શેર મીઠું અને એક શેર દ્રાક્ષ તથા ઉપલી જણસ એકઠી કરી તેમાં છ શેર સરકો (Vinegar) મેળવો. પછી એ ચટણી એક મોટી બરણીમાં ભરી રાખવી.
૪૩. કુદનાની ચટણી. દોઢ શેર કુદને, અડધે શેર છોલેલું આદુ અને પાશેર છેલેલું લસણ, એટલાં વાનને વાટી નાખવાં. પછી તેમાં એક શેર ખાંડ, તેટલીજ બિયાં કાઢેલી દ્રાક્ષ, પાશેર સિધવ અને તેટલાંજ ખાંડેલાં રાતાં મરચાં નાખવાં. તેમજ એક શેર નવી આમલી એક શેર સરકામાંથી છેડે રહેવા દઈ બાકીનામાં ચોળી, તેમાંના કૂચા કાઢી નાખી, તેનું પાણી ઉપરની ચટણીમાં નાખવું. પછી તેમાં રહેવા દીધેલે સરકે નાખી બરણીમાં ઘાલી પછી તેને ઢાંકણું દેઈ વીસ દિવસ સુધી તડકામાં રાખ્યા પછી તેને , બાટલીમાં ભરી રાખવી.
૪૪. કાશ્મિરી ચટણી. એક શેર વિલાયતી રિંગણું (ટામેટે), તેટલી જ કેરી, તેટલાંજ વિલાયતી આલુ (Plums), તેટલાજ લીલાં મરચાં, અડધે શેર છેલેલું લસણ, તેટલું જ છેલેલું આદું અને તેટ
For Private and Personal Use Only