________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માસા મીઠું નાખવું અને બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, એક રૂપિયા ભાર અડદની દાળ, બે માસા જીરૂં, પાંચ સૂકાં મરચાંના કકડા અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી તેના ઉપર રેડી ચટણ વાટવી. પછી તેમાં બે કાગદી લિબુ નિચોવવાં.
૨૪. કોથમીરની ચટણુ'. ચાર રૂપિયા ભાર કોથમીરમાં દોઢ રૂપિયા ભાર આમલી, ચાર માસા મીઠું અને એક માસ દળેલી હળદર મેળવી સઘળું નિસા ઉપર મૂકવું. પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર રેડી ચટણી વાટવી. આ ચટણી એક દિવસ રહે છે. ૨૫. આમલીના વઘારવાળાં લીલાં મરચાંની ચટણી,
ત્રણ રૂપિયા ભાર લીલાં મરચાં દટા સૂધી ઊભાં ચીરી તેમાં ચાર માસા મીઠું અને એક માસ હળદર ભરી મૂકી છાંડવાં. પછી ચૂલા ઉપર પેણીમાં બે રૂપિયા ભાર ઘી નાખી તે કકડતાં તેમાં બે રૂપિયા ભાર રાઈ એક માસ જીરું અને એક માસ મેથી નાખી વઘાર થતાં જ તેમાં ઉપરનાં મરચાં નાખી હલાવવાં. પછી તે ઉપર એક રૂપિયા ભાર આમલીનું પાણી અને આઠ માસા સમારેલી કેથમીર નાખી ઢાંકી દેવું. થેડી વાર પછી તે કાઢી ફરીથી હલાવી મરચાં ચઢી તૈયાર થાય એટલે ઉતારી
લેવાં.
૧ વોત્તમ વય (મદ્રાસ ). २ पच्च मुळघायं पुळियं शेरंद त्वयल (मद्रासी ).
For Private and Personal Use Only