________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૪). વા. પછી એક વાસણમાં બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ અને પાંચ સૂકાં મરચાં નાખી, એને વઘાર થાય એટલે તેમાં ઉપરના કકડા નાખી દેવા. પછી એક રૂપિયા ભાર, મીઠું નાખી નિસા ઉપર ચટણી વાટવી. આ ચટણી ખાધાથી અજીર્ણ થયેલું હોય તેને નાશ થઈ જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે, અને શરીરમાં તેજ આવે છે.
આજે પ્રકાર, ઉપર પ્રમાણે કાંડવેલના કકડા કરી બે રૂપિયા ભાર ઘીમાં - તળવા. પછી એક રૂપિયા ભાર ઘી, બે માસા રાઈ, મીઠા લિંબડા
નાં દસ પાંદડાં અને એક માસ દળેલી હળદર, એને વઘાર કરી સદર ચટણીમાં નાખીને તે વાટવી. આ ચટણી ટાઢા અન્ન સાથે ખવાય છે.
૩૫. ચિકા ખાઈના પાલાની ચટણુ'. છ રૂપિયા ભાર ચિકા ખાઈને પાસે બે રૂપિયા ભાર ઘીમાં તળી તેમાં એક રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, અને પાંચ સૂકાં મરચાં, એને વઘાર કરો. તેમજ તેમાં છ રૂપિયા ભાર મીઠું નાખી ચટણી નિસા ઉપર વાટવી. આ ચટણ ખાવાથી શરીરમાં તેજ આવે છે.
૩૬. પાસલીની ભાજીની ચટણી, ચોવીસ રૂપિયા ભાર પાસલીની ભાજીવણ ચાખી કરી તેમાં ત્રણ લીલાં મરચાં ઝીણાં સમારી નાખી બે રૂપિયા ભાર ધીમાં તળવી. પછી તે નિસા ઉપર મૂકી તેમાં એક રૂપિયા ભાર
१ शिवका इलई त्वयल (मद्रासी ). ૨ વારાહી વિ જળ (મકાઈ).
For Private and Personal Use Only