________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૬)
મીઠા લિંબડાનાં દસ પાંદડાં અને સૂરણના કકડા તળી, તેમાં ચાર માસા આમલી અને તેટલું જ મીઠું મેળવી ચટણી કરી વાટવી.
૧૭. કેળાની ચટણી”.
પહેલો પ્રકાર-સાદી. - ચાર અગર પાંચ કાચાં કેળાં લેઈ ચૂલામાં શેકવાં. પછી તેની છેલ કાઢી નાખી તેમાં બે રૂપિયા ભાર અડદની દાળ, અને ત્રણ સૂકાં મરચાં બે રૂપિયા ભાર ઘીમાં તળી નાખવાં. પછી તેમાં ચાર માસા મીઠું નાખી નિસા ઉપર વાટી ચટણી બનાવવી.
બીજે પ્રકાર–આમલી નાખીને ઉપર પ્રમાણે કેળાં શેકી તેની છાલ કાઢી નાખી, તેમાં દેઢ રૂપિયા ભાર આમલી અને ત્રણ માસા મીઠું નાખવું. પછી એક રૂપિયા ભાર અદડની દાળ, અને પાંચ સૂકાં મરચાં, એને બે રૂપિયા ભાર ઘીમાં વઘાર કરી તેમાં નાખવાં. પછી એ ચટણી વાટી રાત્રે વાળુ કરતી વખતે ખાવી. આ ચટણી વાયુ ઉત્પન્ન કરનારી છે.
૧૮. કેળના ગાભાની ચટણી. પચાસ રૂપિયા ભાર કેળના ગાભાને ઝીણું ચીરી ખાંડણીમાં નાખી ખાંડ. પછી તેમાં પાણી નાખી લાકડીથી હલાવવું, અને તેમાંથી કચરે દેરા વગેરે કાઢી નાખવા. પછી તે નિચાવીને તેમાં એક રૂપિયા ભાર આમલી, આઠ માસા મીઠું અને છ માસા મેથીને ભૂકે મેળવે. પછી બે રૂપિયા
१ वाळकाय त्वयल. २ वालतंड त्वलय.
For Private and Personal Use Only