________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૩)
બીજો પ્રકાર, ઉપર પ્રમાણે અડદની દાળ અને સૂકાં મરચાં ઘીમાં તળી, તેમાં કાગદી લિંબુને દેઢ રૂપિયા ભાર રસ, ચાર માસા મીઠું, મીઠા લિંબડાનાં દસ પાંદડાં અને બે રતી હિંગ નાખી ઝીણી વાટીને ચટણી કરવી.
ત્રીજો પ્રકાર, છ રૂપિયા ભાર અડદની દાળને લોટ બાર રૂપિયા ભાર દહીંમાં મેળવી, તેમાં એક કાગદી લિંબુનો રસ, આઠ માસા મીઠું, અને એક રૂપિયા ભાર રાતાં ખાંડેલાં મરચાં નાખવાં. પછી બે રૂપિયા ભાર ઘીમાં ત્રણ માસા રાઈ, બે માસા જીરું, અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં તળી ઝીણું વાટી તે સઘળું ઉપરની ચટણીમાં મેળવવું. આ ચટણી રાત્રે જમતી વખતે ખાવી.
૧૩. મગની દાળની ચટણી'.
પહેલો પ્રકાર, એક રૂપિયા ભાર ઘીમાં બે રતી હિંગ, બે રૂપિયાભાર મગની દાળ, અને દસ સૂકાં મરચાંના કકડા નાખી તળવાં. પછી તેમાં ચાર માસા મીઠું મેળવી ડું પાણી નાખી ચટણી વાટવી.
બીજે પ્રકાર. સાડાચાર રૂપિયા ભાર મગની દાળ, અને વિસ સૂકાં. મરચાંના કકડા બે રૂપિયા ભાર ઘીમાં તળવા, અને તેમાં છ માસા આમલીનું પાણી, તેટલું જ મીઠું અને મીઠા લિબડાનાં દસ
१ पच्चपयर त्वयल.
For Private and Personal Use Only