________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) ૮. પાસલીની ભાજીનું અથાણું”. " પચીસ શેર પાસલીની ભાજી લાવી સારી રીતે ચેખી કરી ખાંડી માટલામાં ભરવી; અને તે માટલાનું મહેણું બંધ કરી છે મહિના સૂધી રાખી મૂકવું. પછી તેનું મહે ઉઘાડી તેમાં સવાછ શેર મીઠું, તેટલાજ લીલાં મરચાં, ત્રણ રૂપિયા ભાર હિંગ, સાડા ચાર રૂપિયા ભાર લસણ, આ સર્વે જણસો ખાંડીને નાખવી; અને તે અથાણુની સાથે એકઠું કરી હલાવી હે બંધ કરી પંદર દિવસ સૂધી રાખી મૂકવું. અથાણું અથાય એટલે કાઢીને ખાવું. જોઈએ તે આ અથાણુ તાજા ઘી અગર મીઠા તેલમાં તળીને ખાવું.
૯. હરડેનું અથાણું હરડેનાં કાચાં નાનાં ફળ પચીસ શેર લાવી ખાંડણિયામાં ઘાલી ખાંડવાં, અને તેમાંના ઠળિયા કાઢી નાખવા. પછી સવાછ શેર ધેયેલું મીઠું ઉપરની હરડેમાં મેળવી દઈ તે હરડે એક માટલામાં ભરવી; અને તેનું મ્હોં બંધ કરી એક મહિના સૂધી રાખી મૂકવું. પછી જોઈએ તે વખતે તે માટલામાંથી થોડું અથાણું કાઢવું, અને બે રૂપિયા ભાર તાજા ઘીમાં ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એ જણસે નાખી આ અથાણામાં તેને વઘાર કરે. પછી આ અથાણું ચટણી માફક વાટીને ખાવું.
૧૦. સૂકાં મરચાનું અથાણું. પચીસ શેર સૂકાં મરચાં અને પોતેર શેર ચણાને એસ, એ બે જણ એકઠી કરી તેમાં સવા છ શેર ધેયેલું મીઠું મેળ
૧ વાર તો (મદ્રાસી ). २ कड्काय चटणी (मद्रासी). રે મૂઘાર વર્ટી (દાસી ).
For Private and Personal Use Only