________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીસ દિવસ સૂધી દરરેજ તડકે મૂકયા કરવી, અને તે અથાય એટલે ખાવું.
ચા પ્રકાર સે કાગદી લિંબુ ઉપર પ્રમાણે આ ધરણના પાણીમાં પલાળી કાઢી લુગડાથી લુછી નાખવાં. પછી તેને બરણીમાં ભરી, તેમાં પિણા આઠ શેર મીઠું નાખી, તેના ઉપર પચીસ કાગદી લિંબુને રસ અને સવા એકત્રીસ રૂપિયા ભાર દ્રાક્ષ અગર શેરડીને સરકે રેડી બરણી હલાવવી. પછી તે બરણીનું હે બાંધી દઈ, સાઠ દિવસ સુધી તે દરરોજ તડકામાં મૂકી, પછીથી અંદરનું અથાણું ખાવાના ઉપયોગમાં લેવું. પછી દર અઠવાડિયે એક વાર આ અથાણાને તડકે ખવડાવો.
પાંચમો પ્રકાર સે કાગદી લિંબુ ઉપર પ્રમાણે આધરણના પાણીમાં નાખી, બે મિનિટ પછી કાઢી લેઈ લુગડેથી લુછી નાખવાં. પછી સાડાદસ રૂપિયા ભાર સૂકાં મરચાં, સાડાચાર રૂપિયા ભાર મરી, અને છ છ રૂપિયા ભાર મેથી, જીરું, રાઈ ને છોલેલું લસણ, એ સર્વે રકમને ખાંડવી. તેવી જ રીતે નવ રૂપિયા ભાર ઝીણું સમારેલાં લીલાં મરચાં અને સવાએકત્રીસ રૂપિયા ભાર ચણાને લેટ, એ બે પદાર્થ એકઠા કરી, તેમાં ઉપરની ખાંડેલી સર્વે જણસો મેળવી દેઈ, આ મસાલે નવ રૂપિયા ભાર ઘી અને છત્રીસ રૂપિયા ભાર મીઠા તેલમાં મેળવો. પછી ઉપરના દરેક લિંબુની દીટા સૂધી ચચ્ચાર ચીરિ કરી, તેમાં ઉપરને મસાલે ભરો; અને ઉપરના ત્રીજા પ્રકારમાં કહ્યા પ્રમાણે વઘાર કરી, તેમાં આ લિંબુ નાખી દેઈ ઉપર ઢાંકણું ઢાંકી દેવું. વળકે વળે એટલે અથાણું બરણીમાં ઘાલી હે બંધ કરી વીસ દિવસ સૂધી દરરોજ તેને તડકામાં મૂકવું, અને અથાય એટલે તે કાઢીને ખાવામાં લેવું.
For Private and Personal Use Only