________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦) ૪. આમળાનું અથાણું.
પહેલો પ્રકાર, ૨૫ શેર આમળાં. ૬. શેર મીઠું. ૬. શેર લીલાં મરચાં.
કાર્તક અથવા ચૈત્ર માસમાં પચીસ શેર સરસ આમળાં લાવી ગરમ પાણીમાં એક કલાક સુધી પલાળી રાખવાં. પછી એક મોટા માટલામાં સવા છ શેર મીઠું અને તેટલાજ લીલાં મરચાં નાખી તેમાં ઉપરનાં આમળાં લુછીને નાખવાં અને બધું એકસાન કરવું. પછી માટલાના મહે ઉપર ઢાંકણું ઢાંકી લુગડાથી તે બાંધી લેઈ આઠ દિવસ સૂધી રાખી મૂકવું. એટલે અથાણું તૈયાર થશે. પછી તે કાઢી દહીંભાત સાથે ખાવું.
બીજે પ્રકાર ૩ શેર આમળાં.
૧ રૂ. ભાર મીઠું, ૧૫ રૂ. ભાર તાજું ઘી અગર ૩ માસા જીરૂં.
મીઠું તેલ. ૫ રતી હિંગ. - ૩ માસા રાઈ.
૧૦ મીઠા લિંબડાનાં પાંદડાં. ૨ માસા મેથી. ૧૦ રૂ. ભાર કળી ચૂને.
ત્રણ શેર સારાં આમળાં દસ રૂપિયા ભાર કળી ચૂનાના નિતરેલા પાણીમાં વીસ મિનિટ સુધી પલાળી રાખવાં. પછી તેમાંથી કાઢી પંદર રૂપિયા ભાર તાજા ઘીમાં અગર મીઠા તેલમાં પોચા પડે ત્યાં સુધી સાંતળી કાઢવાં. અને તેમાં એક રૂપિયા ભાર મીઠું મેળવી રાખવું. પછી તળતાં વધેલા ઘીમાં ત્રણ માસા રાઈ, તેટલું જ જીરૂ, બે માસા મેથી, બે રતી હિંગ, અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં નાખી વઘાર થતાં ઉપરનાં આમળાં તેમાં નાંખી દેવાં, અને તેને થોડીક વાર હલાવી હેઠે ઉતારવાં ને ખાવામાં લેવાં.
૧ ના ૩ (મદ્રાસી).
For Private and Personal Use Only