________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩) મહીનેથી તેને શિગ લાગવા માંડે છે. છ મહિના સૂધી એને ફલ ચાલે છે. કુમળી શિંગ તેડીને પાણીમાં બાફી, પછી તે પાછું કાઢી નાખી, તેમાં ગમે તે જાતની દાળ મેળવી તેનું શાક કરવામાં આવે છે. આ શાક પિત્તકારક છે.
૧૦. દૂધી' –એમાં નાની ને મોટી એવી બે જાત છે. જેઠ માસમાં બાગાયત જમીનમાં એની રોપણું કરે છે. પછી વેલા થાય છે એટલે એક માસમાં દૂધી આવવા લાગે છે. એને ફાલ ચાર અથવા છ મહિના સુધી રહે છે. કુમળી દૂધી લાવી, તે સમારી તેમાં ભાજણીને ભૂકે અથવા દાળ મેળવી તેનું શાક કરવામાં આવે છે. આ શાક ઠંડુ છે.
૧૧. શુરૂ કહોળું—આના વેલા થયા પછી તે માંડવા ઉપર ચઢતા નથી પણ જમીન ઉપરજ પથરાય છે. એનો ફાલ છે મહિના સૂધી ચાલે છે. સાદા પાણીમાં અથવા આમલીના પાણમાં સિઝવી એનું શાક કરવામાં આવે છે. એનાં લાંબાં લાંબાં ચીરિયાં કરી, તડકામાં સૂકવી કાચલી કરી રાખે છે, અને જે વખત શાક મળતું નથી તે વખતે એનું શાક બનાવે છે. આ શાક વાયડું છે.
૧૨. કાશીફળ – જેઠ માસમાં બાગાયત જમીનમાં અને નદી અથવા તળાવને કિનારે એની વાવણું કરે છે. એના વેલા જમીન ઉપર પથરાઈનેવું દિવસે કાશીફળ લાગે છે. કાશીફળવેલા ઉપરથી તેડતાં હાથમાંથી સરી પડે છે તે ફાટી જાય છે, અને તેમાંનાં બિયાં ચારે તરફ ઉડી વેરાતાં પડે છે, અને તેના વળી નવા વેલા થાય છે. એનું શાક કરે છે અથવા તો તેને સમારી લોટ અને સાબારાને મસાલે મેળવી સિઝવે છે. પછી તેની વડિયે પાડી તડકામાં સૂકાયા પછી ઘી અથવા દિવેલમાં તળી
૧ ફુરક્ષય (મદ્રાસી ). ૨ પૂરા (મદ્રાસી ). ३ कल्याणीपूशानकाय ( मद्रासी)
For Private and Personal Use Only