________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) ૭.
પિત્તાંગણી કરે—એક પ્રકારની ભાજી –એને ઘળાં ફૂલ આવે છે. નદી કે નહેરને કાંઠે અથવા પાણું એકઠું થતું હોય તેવી જગ્યાએ ઉનાળા શિવાય બીજા દિવસમાં તે એની મેળે ઉગે છે. આ ભાજી આંખના વિકાર ઉપર ઘણી જ ગુણકારક છે, ને તેથી આંખો સતેજ થાય છે. - ૮, પાસલીની ભાજી:–ખેતરમાં અથવા બાગમાં જેઠ માસમાં એની વાવણી થાય છે, અને શ્રાવણ માસમાં તોડીને એનું શાક કરે છે. કોઈ કઈ વાર કાર્તિક અને પોષ માસમાં એની વાવણી કરે છે. આ ભાજીને મકે અગર ચણાના ખેતરમાં વાવે છે. એની ચટણી પણ કરે છે. આ ભાજી ખાવાથી બંધકેષ થાય છે.
૯ ઉકિરડા–એનાં બી ઉનાળાના દિવસમાં પાણીથી ચિકાર થયેલી જમીનમાં છે, ને તેને કૂવાનું પાણી પાય છે. ચોમાસામાં આ ભાજી એની મેળે ઉગે છે. શરીરની ઉષ્ણતા એનાથી કમી થાય છે; પરંતુ રસગપાષાણ (ઓષધીની એક જાત) ને ગુણ લાગતો નથી.
૧૦. મીઠે લિંબડો –આવા લિંબડાનાં ઝાડ બાગમાં ઉગે છે, અને તેને અનેક ડાળીઓ ફૂટે છે. આ ઝાડ સાધારણ જમીનમાં ઉગ્યા પછી તેમાં ખાતર નાખી તથા પાણી પાઈ તેને મેટાં કરે છે. આનાં લીલાં પાંદડાંમાં વાસ પુષ્કળ હોય છે અને તે જુદી જુદી જાતનાં શાકમાં નાખવામાં આવે છે. એના જેવાજ બીજી જાતના મીઠા લિબડા રાનમાં ઉગે છે, ને તેને ઉપયોગ પણ ઉપર પ્રમાણે થાય છે. આ બંને પ્રકારના મીઠા લિંબડાનાં પાંદડાં ખાવાથી પિત્તનું જોર નરમ પડે છે.
૧ શાસ્ત્રી રે (મદ્રાસી ). २ शिरुक्किरै ( मद्रासी ). રે સૈ (મદ્રાણી).
For Private and Personal Use Only