________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨). બી નાખે છે, અને વેલા થાય છે ત્યારે તે ક્યારા ઉપર માંડવા બાંધી તેના ઉપર વેલા ચઢાવે છે. આ વેલા ઉપર ત્રણ મહિના સૂધી પડેલાં આવે છે. આમાં કેટલાંક લાંબાં ને કેટલાંક નાનાં હોય છે. એનું શાક ઘીમાં અથવા પાણીમાં કરે છે, તેમજ આ મલી નાખી એની ચટણી બનાવે છે. : ૭. ભીંડા'—જેઠ મહિનામાં ચિકણી માટીની જમીન શિવાય બીજી સઘળી જાતની જમીનમાં અથવા બાગાયત જમીનમાં પહેલાં ખાતર નાખીને બરોબર ખાતર જામ્યા પછી તેમાં ભીંડાની રોપણી કરે છે. બી નાખ્યા પછી ૪૦ અગર ૪૫ દિવસની અંદર ઝાડ થઈ તે પર પુષ્કળ ભીંડા આવે છે. ભીંડામાં બિયાં ઘણાં હોય છે. ઘીમાં અગર પાણીમાં, તેમજ દહીંમાં અને ગર આમલીના પાણીમાં એનું શાક કરે છે.
૮. વાલોળ –એની બે જાત હોય છે. એક કરૂથવરકકાય એટલે આસમાની રંગની શિગ; બીજી વેળયરકકાય એટલે ધોળા રંગની શિગ. જેઠ માસમાં બાગાયત જમીનમાં એની વાવણું કરવામાં આવે છે. ત્યાર પછી એના વેલા થઈ ફેલાવા માંડે છે એટલે માંડવો બાંધી તેના ઉપર તે ચઢાવવામાં આવે છે. શિયાળામાં એને પાક ઘણે થાય છે. મહા મહિનામાં એને ફાલ પૂરો થાય છે. એનું શાક ઘીમાં અને થવા પાણીમાં અથવા આમલીના પાણીમાં કરવામાં આવે છે; પરંતુ એકલા દહીંમાં કરતા નથી. - ૯ ગુવારશિંગ—જેઠ મહિનામાં બાગાયત જમીનમાં એની રોપણી થાય છે. એનાં ઝાડ નાનાં નાનાં હોય છે, ને બીજે
૧ વૈથિ (માસ). ૨ વય (મદ્રાસી). ૨ (મદ્રાસી ). ૪ (મદ્રાસ ).
જવાંગા (માસ).
For Private and Personal Use Only