________________
૧૮
[પરમાગમસાર-૯૬]
ચલાવવા...' આપણી આ પરંપરા તૂટી જશે, આપણે આ પરંપરા ચલાવો ! સ્વાધ્યાયની પરંપરા ચલાવવા માટે ગમે તેને, ગમે તેમ બોલાવો !! પરંપરા ચલાવવા કષાય બુદ્ધિ વડે ઉપદેશ આપે છે...' એ કષાયબુદ્ધિનો ઉપદેશ છે. તે પોતાનું પૂરું કરે છે અને બીજાને બૂરું થવામાં નિમિત્ત થાય છે.' આ બધાં બોલ એની ઉપરના જ છે. એ એક સાથે પ્રવચનો વાંચેલા ને એમાંથી ખેંચ્યા છે.
૮૪૫. ‘શ્રોતા શાસ્ત્રાભ્યાસમાં અતિ આસક્ત હોય તથા ધર્મ, બુદ્ધિપૂર્વક નિંદવા યોગ્ય કાર્યનો ત્યાગી હોય; દારૂ, માંસ, મધ, ત્રસવાળો ખોરાક, પુરુષને પર સ્ત્રી, સ્ત્રીને પર પુરુષ સાધારણ લૌકિક નીતિમાં ન હોય તેથી શ્રોતા આવા નિધ કાર્યોનો ત્યાગી હોય છે.' વક્તા નહિ આ તો શ્રોતાના વિષયમાં પણ લીધું છે. ધર્મબુદ્ધિવાન શ્રોતા હોય છે એને લૌકિક નિંદ્ય કાર્યો પણ હોતા નથી.
૮૪૬. બધા વક્તા શ્રોતા ઉપરના જ બોલ છે. જૈન શાસ્ત્રના વીતરાગતા - સ્વતંત્રતાના ન્યાયને - મર્મને સમજતો હોય તે શ્રોતા વિશેષ શોભે. વળી એવો હોવા છતાં પણ જો તેને આત્મજ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ સમજી શકે નહિ. આત્મજ્ઞાન વિનાનો હોય તોપણ પ્રથમ આવી દઢતાવાળો તો હોવો જોઈએ.' કે જે કાંઈ મારે વિચારવું છે એમાં નિર્દોષતા અને વીતરાગતાને મુખ્ય રાખીને વિચારવું છે. જેને આવી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ન હોય તે બીજા સામાન્ય શ્રોતામાં પણ આવતો નથી. માટે જે આત્મજ્ઞાન વડે સ્વરૂપનો આસ્વાદી થયો છે તે જૈનધર્મના રહસ્યનો શ્રોતા છે.’ એ ૮૪૭માં પણ છે. જે મ ખાતર . અમે કંઈક જાણીએ છીએ એમ બતાવવા પ્રશ્ન કરે, વાદ કરવાનો અભિપ્રાય છે, મહંતતાનો ભાવ છે, સાંભળીને બીજાને કહેવાનો અભિપ્રાય રાખે છે, એ રીતે સાંભળે - વાંચે - સંભળાવે - તે ધારીને મોટપ લેવા, વક્તા થવા, માન ખાટવા ભણે છે . ભણાવે છે તે બધાં કેવળ પાપ બંધ કરે છે.' કાંઈ બાકી નથી રાખી ! એમાં તો પુણ્યનો બંધ પણ નથી. ધર્મ તો બહુ આધો છે પણ એમાં તો પુણ્ય પણ રહેતું
·
નથી.
-
તેમ જ શાસ્ત્ર સાંભળે પણ (કોઈનો પરોપકાર કરવાની તો વાત કરતા નથી....' તમે ગરીબને જમાડો કાંઈક ! પરોપકાર કરો કાંઈક ! ભૂખ્યા હોય