________________
*
-
-
-
-
-
કહાન રત્ન સરિતા એમ કહેવું છે. "
મુમુક્ષુ - પેલા જડ આશ્રિત છે. પૂજ્ય ભાઈશ્રી : જડ આશ્રિત છે, પર આશ્રિત છે અને અંતઃતત્ત્વ સ્વરૂપ જે જ્ઞાયક આત્મા એ જ્ઞાયકમૂર્તિ આત્માની જ્યારે સન્મુખ દેખે . પરિણામની દિશા પલટાવીને અંતર્મુખ થાય ત્યારે આત્મા જાણવામાં આવે છે. ત્યાં સુધી આત્મા જણાતો નથી. આ શું કહે છે ? કે મારો આત્મા આવો ! મારો આત્મા આવો ! મારો આત્મ આવો ! એવા વિકલ્પના કાળમાં વિકલ્પ છે એ તો ચોખ્ખો ઉદયને અનુસરતો જીવનો પરિણામ છે, પરાશ્રિત પરિણામ છે. ભલે બહારમાં કોઈ શાસ્ત્રનું કે બીજું નિમિત્ત ન હોય તોપણ. સ્વરૂપ ચિંતવનનો વિષય લઈએ કે, હું જ્ઞાનસ્વરૂપ આત્મા, હું લાયકમૂર્તિ. હું આનંદ સ્વરૂપ, હું પરિપૂર્ણ સ્વરૂપ એવા) જે વિકલ્પ છે તે કર્મના ઉદયનો આશ્રય કરીને ઉત્પન્ન થયેલો ભાવ છે. એ પરાશ્રિત પરિણામ પર સન્મુખ પરિણામ છે અને એનો વિષય જ્ઞાયક નથી. એ વિકલ્પનો વિષય જ્ઞાયક નથી. આમ છે. એટલે એમ કહે છે કે એવા વિકલ્પમાં . મેં આત્માનો એ વિકલ્પ કર્યો તે સારો કર્યો - એ વિકલ્પનું મમત્વ એની એકતાબુદ્ધિને પ્રસિદ્ધ કરે છે !! નુક્સાનમ્ન પ્રવૃત્તિ થઈ ગઈ. ને એટલે એમ કહ્યું છે કે રાગ અને જ્ઞાન જુદાં છે. સ્વરૂપનું ચિંતવન થાય ત્યારે પણ સ્વરૂપ સંબંધિત ઉત્પન્ન થયેલો વિકલ્પ તે રાગ છે અને જ્ઞાન એનાથી જુદી જાતની ચીજ છે, જુદી જાતનો ભાવ છે. એક અનાત્મ ભાવ છે, એક પરભાવ છે અને એક સ્વભાવ છે. એ સ્વભાવમાં અહમ્પણાનો પુરુષાર્થ થવો જોઈએ અને જ્ઞાયકમૂર્તિ (આત્માની સન્મુખ દેખે) એટલે અંતર્મુખ થવું એમ કહેવાય). અંતર્મુખ થવું એટલે જ્ઞાનને જ્ઞાનના વેદનનો અનુભવ થવો. જ્ઞાનમાં જ્ઞાન વેદનનો અનુભવ થવો – એને અંતર્મુખપણું અથવા સ્વસમ્મુખ (કહે) છે. ત્યારે એણે રાગની ભિન્નતા કરી એમ કહેવામાં આવે છે. એવો એણે અભ્યાસ કરવો જોઈએ. અંદર ભેદજ્ઞાનનો એવો અભ્યાસ કરવો જોઈએ.
એ વાત કાલે પૂજ્ય બહેનશ્રીએ લીધી હતી કે ભેદજ્ઞાનના અભ્યાસમાં પુરુષાર્થ વધારવો જોઈએ. ભેદજ્ઞાનના અભ્યાસથી પુરુષાર્થને વધારવો જોઈએ.