________________
૧૨૨
પિરમાગમસાર-૨૨૦] એણે બુદ્ધિથી સંમત કર્યું હોય તોપણ એણે પક્ષ બદલ્યો નથી, એટલે વલણ બદલ્યું નથી. આમ છે. હજી જૂના પક્ષમાં જ ઊભો છે. એમ છે.
કોઈપણ દષ્ટાંતથી, કોઈ પણ પ્રસંગથી, આ સિદ્ધાંતમાં કયાંય ફેર પડતો નથી. લાવો ! આમાં કોઈ તર્ક હોય તો ! કોઈ તર્ક પણ આમાં કામ આવે એવું નથી. ૨૨૦ થયો.
- માત્ર વિચાર કરતા રહેવાથી, પ્રયોગ કરવાની સમજ આવતી નથી. પરંતુ અવલોકનથી પ્રયોગ સમજાય છે, કારણકે પરિણમનમાં ઉલટો પ્રયોગ ચાલી રહ્યો છે તે અવલોકવાથી સમજાય છે અને સુલટો પ્રયોગ થવાની સૂઝ તેથી આવે છે. વળી, સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વભાવ વિચારરૂપ સ્થળ જ્ઞાનમાં ગ્રહણ થતો નથી. અવલોકનના અભ્યાસથી સ્વભાવનું ભાસન થઈ શકે છે, તેથી અવલોકન પ્રયોગનું અંગ છે, તેમાં જ્ઞાનની પ્રયોજનભૂતપણે સૂક્ષ્મતા કેળવાય છે.
–પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની-૯૧૩)