________________
ધન રળવાનો કાળ છે ઈ તો મરવાનો કાળ છે. આ • તો કમાવાનો કાળ છે, આત્માના આનંદને કમાવાનો કાળા જ છે એને ચૂકીશ નહીં. ૨૪૦.
•
પ્રવચન-૧૭ તા. ૧૬-૫-૧૯૮૩
(પરમાગમસાર, બોલ) ૨૪૦. “ધન રળવાનો કાળ છે ઈ તો મરવાનો કાળ છે.' દુનિયાથી ઊંધી વાત છે. ગુરુદેવ કહેતાં કે આ તો જગતની સામે બળવો પોકારીએ છીએ. આખું જગત જે બાજું ઢળેલું છે, દુનિયાની દોડ જે બાજુ છે એનાથી આ તદ્દન ઊલટી વાત છે, ઠીક !
“ધન રળવાનો કાળ છે ઈ તો મરવાનો કાળ છે. આહા...! લોકો ટિંગાઈ ગયા છે. એવા ટિંગાઈ જાય છે કે જાણે એ સર્વસ્વ છે અને એ સર્વસ્વ જાણીને આંખો મીંચીને કેટલું અહિત થાય છે (એ જોયા વગર) એની સામે આંખ મીંચીને એ કામ કરે છે.
એ આત્મા છે ને ! નિર્દોષ પરમાત્મા છે એટલે સર્વને ખ્યાલ આવે છે. ગમે તે પ્રકારનાં નહિ કરવા યોગ્ય કાર્ય કરતાં હોય એવા જીવને પણ ખ્યાલ તો આવે છે કે આ સારું તો નથી. કેમકે પ્રસિદ્ધપણે કેટલાંક કાર્યો