________________
-
:
-
-
:
-
- * * 8. ** ***
૧૮૬
[પરમાગમસાર-૨૪૩] વિશે એક નોંધ લખી છે. આમ તો કાવ્યરૂપે છે, એમાં એમ લખ્યું છે કે, આ વેપાર આદિ વ્યવસાય વધારવાની ઇચ્છા નથી છતાં પણ એક રંચ માત્ર એ પ્રવૃત્તિ ઘટતી નથી. એ પ્રસંગ ઘટતો નથી ને. વધતો જાય છે.. એવું જ કોઈક પૂર્વકર્મ છે. * અહીંયા તો એટલો Point (મુદ્દો) છે કે, ઇચ્છે તો વધે અને ન ઇચ્છે તો ન વધે, એવું પણ નથી. ઠીક ! ઇચ્છા નહોતી અને વધતું હતું. અને. ઘણાં ઇચ્છા રાખે અને ઝાવાં મારે તોપણ ન વધે. એનું શું કારણ છે ? કે એ પૂર્વકર્મનું કારણ છે. એમાં વર્તમાન પ્રયત્ન તો નિમિત્તમાત્ર છે. કોઈ પ્રયત્નથી નુકસાન જાય તો એ પ્રયત્ન ખોટનું નિમિત્ત ગણાય છે, લાભ થાય તો લાભનું નિમિત્ત ગણાય છે. બને છે પૂર્વકર્મનાં ઉદય પ્રમાણે.
અહીંયા એમ કહેવું છે કે, આ જીવને શરીરનો જે સંયોગ છે એનો વિયોગ નિશ્ચિત છે અને એ માટે દલીલ ને Arguments આપવાની જરૂર છે નહિ. સર્વ સામાન્ય બધાંને અનુભવગોચર છે. કેમકે બાર મહિનામાં એકબે-ચાર પ્રસંગ તો (બનતાં જ હોય છે. કોઈના ને કોઈના અંતિમ સંસ્કાર કરવા જવાની પરિસ્થિતિ દરેકને ઊભી થાય, થાય ને થાય જ છે. એટલે એ પરિસ્થિતિ અનિવાર્ય છે. એમાં જે દુઃખ થાય છે, એ દુઃખને જો છોડવું હોય, દુઃખને મટાડવું હોય, પછી સ્વજનનાં મૃત્યુનો કાળ હોય કે પોતાનાં મૃત્યુનો કાળ હોય, . પણ એ દુઃખને મટાડવું હોય તો દૃષ્ટિમાંથી શરીરને છોડી દેવું જોઈએ, એમ કહે છે.
અહીંયા શું ઉપદેશ છે ? કે, દૃષ્ટિમાંથી દેહને છોડવો જોઈએ. પણ જ્યારે દેહ છે ત્યારે. આટલી વાત છે. શરીરનો સંયોગ ઉપસ્થિત છે, હાજર છે ત્યારે એની દૃષ્ટિ છોડી દેવી જોઈએ, એમ કહેવું છે. આ વિષય થોડો વિશેષ ગંભીર અને ઊંડો છે !
દૃષ્ટિમાંથી દેહને છોડવો એટલે શું ? એમ કહેવું છે. દૃષ્ટિમાંથી દેહને છોડવો એટલે દેહ હું છું' એવી દેહાત્મબુદ્ધિ છોડવી. આ જ્ઞાનથી લઈએ એટલે સમજાશે. દૃષ્ટિનો વિષય સૂક્ષ્મ છે ને ! એટલે એને - દૃષ્ટિના વિષયને પણ શાસ્ત્રકારોએ એટલે કે આ વિજ્ઞાનના જે કુશળ - Expert–જ્ઞાતા-જાણકાર છે એવા શાસ્ત્રજ્ઞોએ આ વિષયને જ્ઞાનની પ્રધાનતાથી સમજાવ્યો છે.
દેહાત્મબુદ્ધિ (એટલે) દેહ તે હું છું એવી શરીરમાં જે આત્મબુદ્ધિ છે