________________
કહાન રત્ન સરિતા
૨૦૩ સવનવિનયવ્ર: વિલય થાય છે એવા સકલભાવો (થી દૂર છે. ઉત્પાદન વ્યયરૂપ ચારે પ્રકારનાં વિલય પામવા યોગ્ય ભાવો – તેનાથી તે દૂર છે. જો એના પર્યાયોથી એ દૂર છે તો સંયોગ ને વિયોગથી તો તે અત્યંત દૂર છે.
એમ અહીંયા પ્રશ્ન પૂછે છે. જોરથી વાત કરવી છે ને ! એટલે પ્રશ્ન ચિહથી વાત લે છે કે, “ભાઈ ! સંયોગનો ત્યાગ થયો એમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો ?” તું હરખ-શોક તો પર્યાયમાં વેદ છે ને ? કે અરેરે... મારું ચાલ્યું ગયું, પણ ભાઈ તારામાંથી કાંઈ ચાલ્યું ગયું નથી. તારો એક પ્રદેશ ઓછો તો થયો નથી પણ તારો એક પ્રદેશ ખાંગો-ખોડો થયો નથી ! ખોડખાંપણ એક પ્રદેશમાં આવી નથી ! તારો એક ગુણ ઓછો (તો) થયો નથી, પણ તારા એક ગુણમાં ખોડખાંપણ ઊભી થઈ નથી. સ્વરૂપમાં કાંઈ ફેર પડતો નથી. પર્યાયમાં ફેર પડતો નથી તો સ્વરૂપમાં ફેર પડવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. પણ સંયોગને વળગે છે ને ! એટલે દુઃખીનાં દાળીયા થઈ જાય છે. જો અંદર સ્વરૂપને વળગે તો અંદરમાં આનંદ રસાયણ પ્રગટે છે. રસાયણિક પદ્ધતિથી એ ફેરફાર થાય છે. એકદમ ફેરફાર થાય છે. એ રસાયણિક પદ્ધતિ લીધી છે. “અનુભવ રસાયણ’ એને કહ્યું છે.
(કહે છે કે, “....સંયોગોનો ત્યાગ થયો એમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો?” આમાં એક બીજો પણ Undertone છે . ધ્વનિ બહુ સારો છે. જો તારે અંતરમાં અભ્યાસ કરવો હોય તો અવલોકનના અભ્યાસની આ પદ્ધતિ છે કે તું અંદરમાં જોતો જા ક્ષણે, ક્ષણે. પ્રસંગે પ્રસંગે, સર્વ ઉદયના કાળમાં તું અંદર અવલોકન કરતો જા. (દા.ત.) આ દુઃખ થયું વિયોગનું દુઃખ થયું (તો અવલોકન કર કે) આ મારી પર્યાયમાંથી શું ગયું ? મારામાંથી શું ગયું? આ હરખ થર્યો (તો) મારામાં શું આવ્યું ? (અવલોકન કરતાં માલૂમ પડશે કે, કોઈ ફેર પડતો નથી. બહારના ફેરફારોને, આવવાને કે જવાને આત્મામાં કોઈ ફેર પડતો નથી. તારી પર્યાયમાં શું ફેર પડ્યો ? (તો) કાંઈ ફેર પડતો નથી. તપાસ ! એમ કહે છે ! એ અવલોકનથી તપાસવાનો એની અંદર ધ્વનિ છે. એને પ્રતીતિ એ વગર આવશે નહિ. - વારંવાર અવલોકન કરીને એ તપાસશે ત્યારે એને ખાત્રી થશે કે આ દુઃખ થાય છે કે હરખ થાય છે (તે) ખોટું થાય છે. અંદરમાં મારામાં કાંઈ
- -
-
- -
-
-