________________
૧૯૬
પિરમાગમ સાર-૨૪૩]. બદલીને હોજરી સુધી જતાં જીવરૂપે થયાં છે, જીવમાં ભળ્યાં છે, જીવ સ્વરૂપે થયાં છે, એવું તો બન્યું નથી. તેથી જીવે કાંઈ ખાધું છે એમ તો સ્પષ્ટપણે નથી જ.
પુદ્ગલ પરમાણુઓ શરીરમાં ભળ્યાં, શરીરનાં સ્કંધમાં તે પણ સ્કંધરૂપે ભળ્યાં, હોજરીમાં જતાં લોહી બન્યું, અનેક પ્રકારનાં અવયવો સુધી પહોંચ્યાં તો એમાં કાંઈ જીવ (અને) એ ક્રિયાને કાંઈ લેવાદેવા નથી. પણ જૂઠો અનુભવ . મિથ્યા અનુભવ એમ કરે છે કે, મેં ખાધું !” “મેં ખાધું તેથી મને પુષ્ટિ મળે !” અને દેહ પુષ્ટ થતાં હું પુષ્ટ થયો’ એવો જે અનુભવ છે, એની દૃષ્ટિ અને એવો અનુભવ અને એવી મિથ્થાબુદ્ધિ છોડવા યોગ્ય છે. એવું અહીંયા ફરમાવે છે. આમ છે.
પ્રશ્ન :- અવલોકન એટલે ? ઉપયો|
સમાધાન :- અવલોકન એટલે અનુભવને તપાસવો. શું અનુભવ થાય | છે ? એમ તપાસવું એનું નામ અવલોકન છે. એ પ્રકારે અવલોકનનો વિષય
અનુભવ” હોવાથી અથવા એ અવલોકન એટલે “અનુભવ શું થઈ રહ્યો છે ?' એમ પોતે જ અનુભવસ્વરૂપ અવલોકન હોવાથી, અહીંયા કાર્યની ‘અનુભવ પદ્ધતિ’ ઊભી થાય છે. અહીંયા વિચાર પદ્ધતિથી આગળ જઈને તર્ક પદ્ધતિથી આગળ જઈને, તર્ક, યુક્તિ, ન્યાયથી આગળ જઈને અનુભવના પ્રકારમાં આવવું થાય છે. તેથી અનુભવ કરવા માટે અહીંયા અનુભવની Line જોડાય છે. આત્માનો અનુભવ કરવો છે ને ? ભિન્ન આત્માનો અનુભવ કરવો છે. અનુભવની Line માં જોડાવા માટે એ વાત ગુરુદેવશ્રીએ એમના શબ્દોમાં આગળ એક જગ્યાએ સ્પષ્ટ કરી છે.
પ્રશ્ન :- તો ત્યાં જીવે શું કર્યું ?
સમાધાન :- જીવે વિકારી પરિણામ કર્યા. “મારે ખાવું છે અને મેં ખાધું એમ ખાવાની ક્રિયા કરવાના અને આહારને ભોગવવાના, કરવાના ને ભોગવવાના મિથ્થાબુદ્ધિ સહિતના વિકારી પરિણામ કર્યા. આ જીવના કાર્યની મર્યાદા ત્યાં પણ આટલી છે. અનંતકાળ એણે એવાં પરિણામ કર્યા હોવા છતાં એક રજકણ પણ વજીવરૂપે થયો નહિ તે ન જ થયો ! કેમકે તેમ થવું અશક્ય અને અસંભવિત છે.
જુઓ ! જેનદર્શન જ અહીંથી જુદું પડે છે. જગતમાં કોઈ ધર્મના સંપ્રદાયમાં