________________
કહાન રત્ન સરિતા
૧૯૩ જે દેહમાં તને આત્મબુદ્ધિ છે, જે દેહથી તું છૂટો થવા ચાહતો નથી, એ દેહ તને અવશ્ય છોડશે જ. તું ભલે એને છોડવા ન ચાહે તોપણ તે દેહના પરમાણુઓથી તારે જુદાં થવાનું અનિવાર્ય છે. નિવારી શકાય એવું નથી જ. જગતના જીવોને તો એ મૃત્યુની ભડક છે. એટલી બધી ભડક છે કે એનો વિચાર કરવા કોઈ તૈયાર નથી ! પણ અહીંયા વિષય એકદમ હળવો કરી નાખે છે.
સપુરુષો કઠિનમાં કઠિન વિષયને સુગમ કરે છે. અહીંયા બહુ સ્પષ્ટ વાત છે કે, જ્ઞાનસ્વરૂપી ચેતન્યસ્વરૂપી આત્મા - ચૈતન્ય સ્વભાવને ભાવતા (દેહાત્મબુદ્ધિ છૂટે). વિશ્વમાવાય માવાય’ એમ કહે છે. પોતે ચિતસ્વરૂપ માત્ર છે, એમ પોતાના સ્વરૂપને ભાવે), જે સ્વરૂપે છે તે સ્વરૂપે ભાવવામાં આવતાં (એટલે કે તેમાં આત્મબુદ્ધિ થતાં, તેમાં દૃષ્ટિ થતાં, તેમાં નિષ્ઠા થતાં કે “હું આવો જ ચિસ્વરૂપે છું . જો એ રીતે દેહાત્મબુદ્ધિ છોડવામાં આવે, દેહની દૃષ્ટિ છોડવામાં આવે તો તે અનંત કાળમાં નહિ કરેલું એવું અપૂર્વ કાર્ય છે ! અનંત કાળમાં નહિ કરેલું એવું અપૂર્વ કાર્ય છે ! એને (અહીંયા) એમ કહેવામાં આવે છે કે, એની બલિહારી છે !!
ધન્યવાદ છે તે જીવને, ધન્ય છે તે જીવને કે જેણે દેહાત્મબુદ્ધિ છોડી અને આત્મામાં આત્મબુદ્ધિ કરી. એમ કહેવું છે. અભ્યાસ સુગમ છે પણ એવો અભ્યાસ પણ કો'ક જીવ કરે છે. ભાગ્યે જ કોઈ જીવ કરે છે તે અપેક્ષાએ તેની દુર્લભતા ગણવામાં આવી છે અને એ પ્રકારની પરિસ્થિતિ છે કે અનાદિથી રૂઢ થયેલાં દેહાત્મબુદ્ધિરૂપ સંસ્કારો (છે) અને વર્તમાનમાં દેહદૃષ્ટિ - દેહાત્મબુદ્ધિ ચાલી રહી છે) અને પૂર્વકર્મના ઉદય પણ તે-તે પ્રકારના (આવે) કે, તરસ લાગી હોય તો પાણી પીધા વિના ચાલે નહિ. જુઓ ! કેવો ઉદય છે ! એક તૃષા લાગે તો પાણી પીધા વિના ચાલે નહિ. કેવો કર્મનો ઉદય છે !
આ તિર્યંચના કેટલાંક જીવો વનસ્પતિનો આહાર કરે છે તો કેટલાંક માંસાહાર કરે છે. એક ચકલું છે, (એ) માંસાહાર કરે છે ! નહિતર એ બહુ હિંસક પ્રાણી નથી. કબૂતર છે, ભલે એ વનસ્પતિનો, ચણનો આહાર કરી શકે છે પણ ઇયળ, ઝીણી જીવ-જીવાત જો ભાળે તો એને પણ ખાઈ જાય છે. કબૂતર છે, ચકલાં છે . હવે, એને ત્યાં વિવેક કરવાનો પ્રસંગ