________________
કહાન રત્ન સરિતા
૧૫૯ પ્રશ્ન :- સાચા જ્ઞાની હોય, એના જ્ઞાનની મહત્તા કરીએ . તો એ શું થયું ?
સમાધાન :- સાચા જ્ઞાનીની મહત્તા કરી તો એમાં તો પોતાના આત્માની મહત્તા કરવાની વાત છે. આત્મગુણો જેમને પ્રગટ્યા છે તે જ્ઞાની છે. એવા ગુણની અભિલાષા અર્થે એમની મહત્તા કરવા યોગ્ય છે. - સમતભદ્ર આચાર્યએ ભગવાનની સ્તુતિ એમ કરી છે કે હે ભગવાન ! હું આપની સ્તુતિ આ સમોસરણ ને અષ્ટ પ્રાતિહાર્ય છે ને ચોત્રીસ અતિશય છે માટે કરતો નથી, એ તો ઇન્દ્ર જાળિયાને પણ હોય છે. એમ કહી દીધું છે. એવી પુણ્યની ઠાઠમાઠ તો ઇન્દ્રજાળમાં પણ કરે છે. પરંતુ આપને જે વિતરાગતા પ્રગટ થઈ છે એની મને મહિમા છે. એટલે આપને હું નમસ્કાર કરું છું. (“વ તા નશ્ચયે - એમ આવે છે).” “વએટલે હું વંદુ છું. એ એક વચન છે. સંસ્કૃતમાં પોતાને વંદન કરવા હોય તો “વંતે (કહેવાય છે. એમાં હું કહેવાની જરૂર નહિ, એમાં આવી જાય. ‘વંદે તપુ તથ્થળે આપને જે આત્મગુણો પ્રસિદ્ધ થયા છે . પ્રગટ થયાં છે, એની પ્રપ્તિ અર્થે હું આપને નમસ્કાર કરું છું. જગતનાં કોઈ પદાર્થો માટે તો નમસ્કાર કરવાનો પ્રશ્ન છે નહિ, કે જગતમાં મને માન મળે, જગતમાં મને કાંઈ લાભ મળે. વિતરાગી મુનિ હતાં એટલે એને જગતના પદાર્થો જોઈએ છે એ તો પ્રશ્ન નથી. તિલ-તુષમાત્ર પરિગ્રહનો ત્યાગ કરીને એ તો જંગલવાસી થયા છે. પણ બીજી પણ કોઈ કામના રહી નથી . એ વાતનું એમાં સ્પષ્ટીકરણ
એ કિંમત કરવાની વાત છે. જ્ઞાનીની મહિમા કરવી એમાં જ્ઞાનીની કિંમત કરવાની વાત છે. એમાં આત્માની કિંમત કરવાની વાત છે. કિંમત તો કેવી કરવી જોઈએ ? આગળ એક બોલ આવશે કે ચામડી ઊતરડીને જોડા સીવડાવું તોપણ જેના ઉપકારનો બદલો વાળી શકાય નહિ ! એવો ગુરુ પ્રત્યેનો ઉપકાર ભાવ હોય છે ! એવી મહિમા આવે. મહિમા આપવામાં કાંઈ કચાશ રહે, એ પ્રશ્ન હોઈ શકે નહિ.
(અહીંયા) કહે છે કે “રાગ દ્વેષ અને સંયોગની કિંમત કરી હશે તો તે નહીં છૂટે.’ મરણ થવાં છતાં એની કિંમત જળવાઈ રહેશે અને અનંત કાળનું પરિભ્રમણ પણ એમાં ચાલુ રહી જઈ જશે. .આત્માની કિંમત કરી