________________
જેણે જીવન કાળમાં સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો • જ છે, અનુકૂળતામાં પણ એના વિયોગની ભાવના ભાવી છે.
તેને તેના વિયોગ કાળે ખેદ નહિ થાય. ૨૪ર.
પ્રવચન-૧૯ તા. ૧૦-૫-૧૯૮૩
(પરમાગમસાર બોલ - ૨૪૨). જેણે જીવન કાળમાં સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો છે, અનુકૂળતામાં પણ એના વિયોગની ભાવના ભાવી છે તેને તેના વિયોગ કાળે ખેદ નહિ થાય.' આ જગતમાં સર્વ સંસારી પ્રાણીઓને પોતાનાં ઇષ્ટ સંયોગનો વિયોગ થતાં દુઃખ થાય છે અને ખેદ થાય છે, એનું કારણ શું ? આત્માને સંયોગ શું શું છે એ વિચારીએ તો આ શરીર પણ એને સંયોગરૂપ છે કે જેનો વિયોગ થવાનું નિશ્ચિત છે. શરીરનો વિયોગ થાય છે તે ભાગ્યે જ સમજાવવાની જરૂર છે કે બીજાં સંયોગો - કુટુંબપરિવાર, મકાન, ધન, ધાન્ય એ સર્વનો વિયોગ થવાનો છે. એ સમજાવવાની જરૂર રહેતી નથી.
બહારમાં પણ ધંધામાં નુકસાન જાય તો લક્ષ્મીનો . પૈસાનો વ્યય થાય