________________
દેહ તો તને છોડશે જ પણ તું દેહને (દષ્ટિમાં) છોડ એની બલિહારી છે. આ તો શૂરવીરના ખેલ છે. ર૪૩. •••••••
પ્રવચન-૨૦ તા. ૧૦-૫-૧૯૮૩
પરમાગમસાર) ૨૪૩ નંબરનો બોલ) છે એ પણ આ વિષયને અનુરૂપ જ છે. ચાલુ વિષયની સાથે સુસંગત વિષય છે.
દેહ તો તને છોડશે જ..” સંયોગમાં એક દેહનો પણ સંયોગ છે. એટલે એ વિષય એની અંદર સંકલિત છે. દેહ તો તને છોડશે જ પણ તું દેહને (દષ્ટિમાં, છોડ એની બલિહારી છે.. આ તો શૂરવીરના ખેલ છે.” આમ લખ્યું છે. ટુંકી વાત લખી છે, લખાણમાં વાત ટૂંકી આવી છે પણ વિષય છે એ ઘણો ગંભીર છે !!
સામાન્ય રીતે માણસ મૃત્યુનો વિચાર કરવા પણ તૈયાર નથી ! આ જગતમાં કોઈ માણસ મૃત્યુને સંભારવા તૈયાર નથી ! સંભારવા તૈયાર નથી, એવો એ બહુ દુઃખદાયક વિષય છે. સર્વ જીવોને દેહનો ત્યાગ - દેહનું છોડવું, ભલે તે અનિવાર્ય છે એમ જાણે છે, તોપણ એને એ સંભારવા પણ તૈયાર નથી. એમાં જો કોઈ કેન્સર જેવો મોટો રોગ આવ્યો હોય અને
* *
. . જયા
,