________________
શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે અને પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ પણ જીવને મારી નાખે છે.'
૨૪૧.
પ્રવચન-૧૮ તા. ૧૬-૫-૧૯૮૩
(પરમાગમસાર, બોલ) ૨૪૧. શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે અને પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ પણ જીવને મારી નાખે છે.' બે વાત કરી છે. જીવનાં જે પરિણામ છે એ પરિણામમાં જીવ હઠથી પણ પર વિષયોનો ત્યાગ કરી શકે છે. શું બને છે જગતમાં ? કે જગતની અંદર મનોહર વિષયો છે, પાંચ ઇન્દ્રિયોને સુહાતા વિષયો છે. એનો ત્યાગ તો જીવ હઠથી પણ કરી શકે છે, પણ અંદરમાં એ પ્રકારનાં પરિણામ કરતાં જે શુભભાવ થાય છે, એની મીઠાશ એને રહી જાય છે અને એ એને મારી નાખે છે, એમ કહે છે. શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે.' આમ કહે છે.
જીવ ફસાઈ જાય છે. જે એનું શુદ્ધાત્મ સ્વરૂપ છે, વીતરાગ સ્વરૂપ
છે એની વીતરાગી પરિણતિ ઊભી કરવાં માટે કરવો જોઈએ એ છેદ કરવાને બદલે અશુભને
શુભાશુભ પરિણામનો છેદ છોડીને શુભમાં લીન થાય