________________
જ્યાં સુધી પૈસામાં સુખ નથી, પુણ્ય-પાપમાં સુખ નથી . એમ અંતરમાં ભાસે નહીં, ત્યાં સુધી ઈ આત્માના સુખમાં જ જંપલાવે નહીં.' ૨૨૮.
•
0
0
0
0
0
0
0
પ્રવચન-૧૩ તા. ૨૪-૪-૧૯૮૩
(પરમાગમસાર, બોલ) ૨૨૮. જ્યાં સુધી પૈસામાં સુખ નથી, પુણ્ય-પાપમાં સુખ નથી - એમ અંતરમાં ભાસે નહીં, ત્યાં સુધી ઈ આત્માના સુખમાં જંપલાવે નહીં.” બધી નાડ પકડી છે ! જગતના જીવો ક્યાં જંપલાવે છે એ (ગુરુદેવશ્રીને ખબર છે. ભલે પોતે અત્યારે એમાં નથી ગયા, આ ભવમાં તો પહેલેથી ત્યાગી જેવી સ્થિતિ છે. (છતાં કહે છે કેજ્યાં સુધી જગતના પદાર્થમાં સુખ છે એમ ભાસે છે, ત્યાં સુધી એ જગતના પદાર્થોમાં જંપલાવશે, એમ કહે છે. જંપલાવે એટલે શું ? (કે) આખે આખો પડે ! આખે આખો અર્પોઈને પડે એને જંપલાવે એમ કહે છે.
કહે છે કે આ આખી પરિસ્થિતિ એની બદલાવી જોઈએ. પહેલી વાત છે કે પૈસામાં સુખ નથી. લ્યો, કેમ માનવું ? પૈસામાં સુખ નથી - (એ) માનવું કેમ પણ ? ડગલે ને પગલે જરૂર પડે.
મુમુક્ષુ પૈસા હોય તો ‘ભાઈ’ કહી ને બોલાવે ! પૂજ્ય ભાઈશ્રી :- નહીતર શું કહીને બોલાવે ? અરે...! ગમે તે કહીને