________________
કહાન રત્ન સરિતા .
૧૨૯ છીએ (તો) અમારે તો સમ્યગ્દર્શનનો તો સવાલ જ નથી. અમે તો વીતરાગી દેવ, ગુરુ, શાસ્ત્રને માનવાવાળા છીએ, બીજાને (તો) અમે સ્વપ્નમાં પણ માનીએ નહિ. અત્યારે તો જો કે ઘણી ગડબડ ચાલે છે. પણ બીજાને સ્વપ્નેય માનીએ નહિ એમ હોય તોપણ એમ સમ્યકત્વ છે નહિ. એમ કહે કે, હવે અમારે વ્રત, પચ્ચખાણ લઈને આગળ વધવાનું રહ્યું, સમ્યકત્વ તો છે જ. ભાઈ ! સમ્યકત્વ એમ હોતું નથી.
એટલે એમ કહે છે કે ભાઈ ! તને સ્વરૂપ લીનતા થઈ છે ? તને આત્માનું ભાન વર્તે છે ? તને સ્વસંવેદનની જ્ઞાતાધારા પ્રગટ થઈ છે ? અને પ્રગટ પરિણમન ચાલે છે ? તો આ બધી સમ્યકત્વના સભાવને બતાવનારી વાતું છે. નહિતર એ એકેય વાત સાચી નથી. જેને સમ્યક્ત્વ નથી તેનું બધું અવળું અને સમ્યકત્વ થયું તેનું બધું સવળું. જેમ ઊંધાં ઘડા ઉપર બધાં ઊંધા ઘડા રહે અને સવળા ઉપર બધાં સવળા રહે, એના જેવું
મુમુક્ષુ :- સમ્યકત્વમાં બધું સવળું . એ બહુ મોટી વાત છે !
પૂજ્ય ભાઈશ્રી :- એનું બધુંય સવળું ! એના બધાંય પરિણામ જ્ઞાનમય કહ્યાં છે. સાધકજીવને પુણ્યનો ભાવ આવે છે તો એને જ્ઞાનમય પરિણામ કહ્યું છે), કેમ જ્ઞાનમય પરિણામ કહ્યું? કે આ પુણ્ય તત્ત્વ છે, મારા આત્માથી આ બહિર્તત્ત્વ છે અને આ આત્માને તેથી લાભ નથી, એવું ભાન વર્તે
જેમ પૈસાથી સુખ નથી તેમ પૈસા મળવાનું કારણ જે પુણ્યભાવ એમાં પણ સુખ નથી ને લાભ નથી. એ તો કારણ . કાર્યનો સંબંધ છે. પૈસાથી સુખ ને લાભ નથી એમ પૈસા મળવાના કારણરૂપ જે પરિણામ છે એનાથી પણ સુખ ને લાભ નથી, એમ જ્યાં સુધી અંતરમાં ભાસે નહિ...! “અંતરમાં ભાસે નહીં.” જુઓ ! કેવી ભાષા લીધી છે ! “.ત્યાં સુધી ઈ આત્માના સુખમાં જંપલાવે નહીં. આ તો બોલવાની ભાષા લખી છે ને ! ત્યાં સુધી તે આત્મા અંદરમાં આત્માના સુખમાં પરિણમશે નહિ, જંપલાવશે નહિ. એટલે શું કહેવું છે ?
જીવનો અનાદિનો જે વેગ છે ને ! એ પર પદાર્થમાં સુખના નિશ્ચયને લઈને છે. રાગમાં અને રાગના ફળમાં સુખ છે એવું એને અનાદિથી નિશ્ચિત