________________
૧૪)
પિરમાગમસાર-૨૩૪] સમાધાન :- એમાં એટલો હેતુ છે કે બીજાને પણ પ્રોત્સાહન આપવું. એવો એક હેતુ છે. પણ Side effect (આડ અસર) ન આવે એવું કાંઈ નથી. એને પોતાને અવગુણ થવામાં - મારું નામ આવ્યું છે કે નહિ ? મારું નામ છે કે નહિ ? મેં આપ્યાં હતાં તે આમાં લખાણા કે નહિ ? અથવા જાહેર કરવું ભૂલી જાય તો ચાહીને યાદ આપે કે ભાઈ ! મેં લખાવેલા છે, પૈસા આપેલા છે અને મારું નામ જાહેર થયું નથી !
મુમુક્ષુ :- ગેરવલ્લે ન થઈ જાય પૂજ્ય ભાઈશ્રી :- હિસાબમાં તો ગેરવલ્લે ન જાય. કેમકે એમાં તો ભાઈસાહેબે પહોંચ લઈ લીધી હોય. એમાં તો સ્ટેમ્પ ચોડેલી રસીદ મેળવી લીધી હોય. એટલે એમ તો ગેરવલ્લે ન જવા દે. પણ અહીંયા બહારમાં (માન માટે) ગેરવલ્લે ન જવા દે ! બીજાં સાંભળે ! મારું નામ પણ બીજાં સાંભળે અને મેં આપ્યાં છે. એવા પણ મુમુક્ષુઓ હોય છે કે મારું નામ નહિ. એક મુમુક્ષુ તરફથી (એમ લખાવે. ભાઈ પણ નહિ ને બેન પણ નહિ. એક મુમુક્ષ તરફથી . એમ પણ જાહેરાત કરે છે અને કરી શકાય છે. એમાં કોઈ નામથી જ કરવું એવું તો કાંઈ છે નહિ. પણ કોઈ વિશેષ યોગ્યતાવાળા જીવો પણ દાન કરતાં હોય એનું નામ જાહેર થાય, ત્યારે નીચેની યોગ્યતાવાળાને પણ એક ભાવના થાય કે આવા યોગ્ય જીવો પણ આ રીતે અહીંયા અર્પણતા કરે છે; દાન એટલે સમર્પણ, અર્પણ કરવું છે - તો આપણે પણ કરવું જોઈએ એમ. જ્ઞાની પણ એમ કરે છે તો આપણે પણ કરવું જોઈએ, એવો એક હેતુ રહેલો છે. એ હેતુ સચવાય ત્યાં સુધી યોગ્ય છે. એ હેતુ માર્યો જાય અથવા બીજા કોઈ પ્રકારે પરિણામ થાય, બીજું પ્રયોજન અંદર પરિણામમાં ઊભું થઈ જાય, તો એ વાત પોતાને નુકસાન કરે છે. એ લોભની વાત નથી.
કરવું. કરાવવું અને અનુમોદવું (ત્રણેમાં) ફળ એક સરખું છે. તારતમ્યતા જુદી છે એટલે રસ ઓછો - વધારે પડે. પોતે કરે તો તીવ્ર રસથી કરે, બીજાં પાસે કરાવે, અનુમોદે તો રસ ઓછો થવાનો સંભવ છે. કોઈવાર તો એમાં પણ તીવ્ર થઈ જાય. પણ એનું ફળ એક છે - કરવું, કરાવવું ને અનુમોદવું એક જ ફળ છે.
પ્રશ્ન :- જે નામ માટે દાન કરે છે, એની અનુમોદના કરે તો શું