________________
કહાન રત્ન સરિતા
૧૫૩ એટલે પૂજ્ય બહેનશ્રી જે મુખ્ય વાત કરે છે, અવાર-નવાર કરે છે, (વચનામૃત) ગ્રંથમાં પણ એ વાત બહુ આવી કે ભાવનાની આવશ્યકતા છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હશે તો કાર્યની સફળતાની સંભાવના છે. ભાવનાની ખામી થઈ ગઈ (તો) પછી કોઈ આરોવારો છે નહીં. આ પરિસ્થિતિ છે. એટલે એવી વાત છે. ઓળખાણમાંથી થોડું આ નીકળ્યું) એના પેટામાં આ વિષય છે.
ઓળખાણ કોને થાય ? કે જ્ઞાન લક્ષણથી આત્માનું અંતર સંશોધન કરે તેને. બહારમાં શાસ્ત્રો વાંચીને, ખંડન-મંડન કરીને, આ નયનું ખંડન ને આ નિયથી આનું ખંડન - એ ગમે તે પ્રકાર (આવે) એમાં કોઈ કાળે આત્મતત્ત્વનો પત્તો ખાય નહીં.
સુબ શાસ્ત્રન કે નય ધારી હિયે” ૨૪મે વર્ષે શ્રીમદ્જીએ કહ્યું છે. જે વર્ષમાં એમને સમ્યગ્દર્શન થયું છે, એ વર્ષનું આ કાવ્ય છે. “સબ શાસ્ત્રના કે નય ધારી હિયે, મત મંડન ખંડન બહોત કિયે.” એટલે બધી અપેક્ષાઓ, વિવિક્ષાઓ જાણીને બધું સિદ્ધ કરી દે કે આમ જ સત્ છે. પરંતુ) ઓળખાણ બીજી વાત છે, છતાં ઓળખાણ (બીજી વાત છે). જૈન શાસ્ત્રમાં આમ સતુનું સ્થાપન થાય છે, એમ કહે. છતાં નિજ સત્ની ઓળખાણ બીજી વાત છે. આમ છે. એટલે એ અંતર સંશોધનનો વિષય છે, એમ કહેવું છે. એ શાસ્ત્રા બાહ્ય સંશોધનનો વિષય નથી પણ એ અંતર સંશોધનનો વિષય છે. એ અંતર સંશોધનના પુરુષાર્થથી એને ઓળખાણ થાય છે અને એ વેદનથી પકડાય છે. વેદનથી એનું પ્રસિદ્ધપણું હોવાથી એ વેદનથી ઓળખાય છે.
સ્વભાવનું પ્રસિદ્ધપણું - “પ્રસાધ્યમાન એવો જે સ્વભાવ તેનું પ્રસિદ્ધત્વ' - અમૃતચંદ્ર આચાર્યદેવના આ શબ્દો છે. પ્રસાધ્યમાન એવો જે આત્મા પરમાત્મા એનું પ્રસિદ્ધત્વ સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. વેદનથી એ પ્રસિદ્ધ છે. એ વેદનથી પ્રસિદ્ધ કર્યા પછી એ પ્રશ્ન બરાબર થવા યોગ્ય છે કે કેમ વેદન પકડાતું નૃથી ? આ પ્રશ્ન થવા યોગ્ય છે.
પ્રશ્ન :- તિરોભૂત એટલે ?
સમાધાન :- તિરોભૂત એટલે ઢંકાયેલું છે, પણ છે ખરું. જેમ ધુમાડામાં અગ્નિ ઢંકાયેલો છે, ઘણો ધુમાડો હોય તો અગ્નિની ઝાળ ભલે ન દેખાય, પણ અગ્નિ છે એ વાત તો ત્યાં સ્પષ્ટ છે. જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં
=
" +
-3