________________
૧૩૮
પિરમાગમસાર-૨૩૪] અસત્ય. બ્રહ્મ સત્ય છે ને જગત અસત્ય છે. મિથ્યા છે એટલે અસત્ય છે. પણ જે લોકો એનો ભાવાર્થ (એટલે) આશય ન સમજી શક્યા એણે એમ માન્યું કે જગતની અંદર એક પરમ બ્રહ્મ છે. એ એક જ અસ્તિત્વ ધરાવે છે. બાકી આ બધું જેટલું દૃશ્યમાન પદાર્થોવાળું જગત દેખાય છે એવા પદાર્થો જેવું કાંઈ છે જ નહિ !! જીવને એ બધી મિથ્યા કલ્પના થાય છે. જેમ ઝાંઝવાના જળની કલ્પના થાય છે એમ આ દૃશ્યમાન પદાર્થોની કલ્પના થાય છે. જગતમાં એક અસ્તિત્વ ધરાવનાર હોય તો તે એક જ પરમ બ્રહ્મ છે. એવો પછી અર્થ કરીને એ બાજુ મિથ્યા કલ્પનામાં વિકાસ કર્યો. એનાં પછી શાસ્ત્રો બનાવ્યાં, એનું Logic, એને અનુસરનારાઓની મોટી સંખ્યા... આ બધું ધમાલ અને તોફાન દેખાય. પરંતુ, એમ નથી. ( ખરેખર તો સત્ એવો જે પોતાનો આત્મા અને સતું એટલે આત્મ પ્રાપ્તિનો માર્ગ - ઉપાય - બસ આટલું જ સત્ છે, એને આત્મા કહીએ. એને માટે આખું જગત વેચાઈ જાવ ! જગતના કોઈ પદાર્થની એવી) કિંમત નથી કે એ સહુને ગૌણ કરી બીજાને મુખ્ય કરવામાં આવે. કિંમત તો ત્યારે કરે છે ને ? અનાદિથી જગતની કિંમત કરી છે પણ એણે પોતાની કિંમત કરી નથી. આ પરિસ્થિતિ છે.
સને માટે આખું જગત વેચાઈ જાવ, આખું જગત જાવ.' પોતાના કબજામાંથી જાવ, આખું જગત ચાલ્યું જાવ, લૂંટાઈ જાવ. એનું માનેલું જગત આખું લૂંટાઈ જાવ. અથવા ત્રણલોકમાં એની સત્તા હોય તો તે ભલે ચાલી જાય, એમ કહે છે. ભલે જગત જાય પણ આત્મા જતો ન કરાય. એ વિષય તો થોડો વિશાળ પણ છે કે કોઈપણ તબક્કે જ્યારે એક સને જ વળગી રહેવા માટે જીવ કટિબદ્ધ થાય છે, પ્રયત્નવંત થાય છે ત્યારે એને જગતની કોઈ દરકાર રહેતી નથી.
મુખ્યપણે તો આ મનુષ્ય) પર્યાયમાં નાનેથી મોટાને - સર્વને માનનો પ્રકાર વિશેષ છે. માન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત. ભલે બહારમાં પુણ્યવંત ન હોય તોપણ એમ કહે કે અમારું સ્વમાન સચવાય તો જ અમે ભાગ લઈએ નહિતર અમારું માન ન રહે તો અમે ક્યાંય ભાગ ન લઈએ. માનનો વિષય ખાસ છે, મુખ્ય છે. અને એ માન ખાતર જીવ પ્રવૃત્તિ કરે છે. શ્રીમદ્જી કહે છે કે આત્માર્થીને નિંદા - પ્રશંસા અર્થે કોઈ પ્રવૃત્તિ