________________
સત્ને માટે આખું જગત વેચાઈ જાવ, આખું જગત જાવ, પણ આત્મા જતો ન કરાય.' ૨૩૪.
પ્રવચન-૧૫ તા. ૭-૫-૧૯૮૩
(પરમાગમસાર) ૨૩૪(મો બોલ). ‘સત્ને માટે આખું જગત વેચાઈ જા, આખું જગત જાવ, પણ આત્મા જતો ન કરાય.' શું કહે છે ? વેવું (શબ્દ) છે ને ? એ મૂલ્યાંકન ઉપર છે. આખા જગતની કિંમત સત્ની આગળ ઓછી છે. એક પલ્લામાં સત્ છે અથવા એક પલ્લામાં પોતાનો આત્મા છે, આત્માનું હિત રહેલું છે, બીજાં ત્રાજવાના પલ્લામાં આખું જગત બેઠું હોય તોપણ પોતાનું પલ્લું નમવું જોઈએ !
માણસ જગતની મહત્તા પાછળ, જગતની મોટાઈ પાછળ પોતાનું અહિત કરે છે. જગતમાં પોતાની મોટાઈની કલ્પેલી - માનેલી સ્થિતિ જળવાઈ રહે તેને માટે પ્રયત્ન કરે છે અથવા અસત્ કાર્યોમાં પ્રવર્તે છે. પ્રવૃત્તિ કરે છે એટલે અસત્ કાર્યોમાં પ્રવર્તે છે.
(અહીંયા) કહે છે કે જેને સતુની કિંમત આવી છે તેને આખું જગત અસત્ ભાસે છે. આ જે નીકળ્યું છે ને ? શંકરાચાર્યનું જે સૂત્ર છે બ્રહ્મ સત્યમ્ જગત મિથ્યા.’ મૂળ તો એ દિવ્યધ્વનિનો વિષય છે. મિથ્યા એટલે