SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં સુધી પૈસામાં સુખ નથી, પુણ્ય-પાપમાં સુખ નથી . એમ અંતરમાં ભાસે નહીં, ત્યાં સુધી ઈ આત્માના સુખમાં જ જંપલાવે નહીં.' ૨૨૮. • 0 0 0 0 0 0 0 પ્રવચન-૧૩ તા. ૨૪-૪-૧૯૮૩ (પરમાગમસાર, બોલ) ૨૨૮. જ્યાં સુધી પૈસામાં સુખ નથી, પુણ્ય-પાપમાં સુખ નથી - એમ અંતરમાં ભાસે નહીં, ત્યાં સુધી ઈ આત્માના સુખમાં જંપલાવે નહીં.” બધી નાડ પકડી છે ! જગતના જીવો ક્યાં જંપલાવે છે એ (ગુરુદેવશ્રીને ખબર છે. ભલે પોતે અત્યારે એમાં નથી ગયા, આ ભવમાં તો પહેલેથી ત્યાગી જેવી સ્થિતિ છે. (છતાં કહે છે કેજ્યાં સુધી જગતના પદાર્થમાં સુખ છે એમ ભાસે છે, ત્યાં સુધી એ જગતના પદાર્થોમાં જંપલાવશે, એમ કહે છે. જંપલાવે એટલે શું ? (કે) આખે આખો પડે ! આખે આખો અર્પોઈને પડે એને જંપલાવે એમ કહે છે. કહે છે કે આ આખી પરિસ્થિતિ એની બદલાવી જોઈએ. પહેલી વાત છે કે પૈસામાં સુખ નથી. લ્યો, કેમ માનવું ? પૈસામાં સુખ નથી - (એ) માનવું કેમ પણ ? ડગલે ને પગલે જરૂર પડે. મુમુક્ષુ પૈસા હોય તો ‘ભાઈ’ કહી ને બોલાવે ! પૂજ્ય ભાઈશ્રી :- નહીતર શું કહીને બોલાવે ? અરે...! ગમે તે કહીને
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy