________________
પિરમાગમસાર-૧૯૧]
ખરેખર સાચી સંપત્તિ છે અને એ લોકાગ્રે પહોંચવાનો માર્ગ છે. એ સિદ્ધપદમાં પહોંચવાનો માર્ગ છે. અહીં સુધી રાખીએ.
પરિણામનું અવલોકન કરવાનું કહેવામાં આવે છે. ત્યાં પણ પર્યાયબુદ્ધિ દઢ થાય, તેવો વિપર્યાસ થવો ન જોઈએ. તે ખાસ ધ્યાનમાં / લક્ષમાં લેવા યોગ્ય છે. અવલોકન વડે, પરલક્ષનો અભાવ કરાવવાનો હેતુ છે - તે ઉપરાંત, સ્વભાવ ઓળખવા માટે જ્ઞાન નિજાવલોકનરૂપ અનુભવાતા ભાવોનો પરિચય સાધી, સ્વભાવનો નિર્ણય કરાવવાનો હેતુ છે. પરિચયની પ્રક્રિયા (Process) નિજ ભાવોના અવલોકન સિવાઈ, અન્ય પ્રકારે થઈ શકતી નથી. પરંતુ માત્ર પરિણામને જ દેખતા રહેવાથી, સ્વભાવનો નિશ્વય થવાનું રહી જાય, તો પર્યાયનું એકત્વરૂપ મિથ્યાત્વ દઢ થઈ જાય – તેવો વિપર્યાસ થાય નહિ, તે અવલોકનમાં પ્રવેશતાં જ લક્ષમાં હોવું જોઈએ. અવલોકન કરવાનું કહેવામાં આવે કે અન્ય કાંઈ કરવાની વાત હોય, કોઈ પણ પર્યાયની મુખ્યતા રહેવી / થવી ન જોઈએ. પરંતુ સહજ તેમ થઈ જાય (સ્વરૂપ લક્ષ) • તેમ સમજવા યોગ્ય છે.
–પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની-૮૧) |