________________
કહાન રત્ન સરિતા જંદગીનો ધુવકાંટો ઊલટો છે. એ તને દુઃખનું કારણ થશે, વર્તમાન દુઃખનું કારણ (છે) (અને ભવિષ્યમાં એની પરંપરા પણ અનંત દુઃખની છે. એ ખરી સંપત્તિ અને ખરી સંપદા નથી. એ કહેવાતી અનુકૂળતા પાછળ દોડવા જેવું નથી. ,
પ્રશ્ન :- જાણ્યે-અજાણ્યે લોકસંજ્ઞા રહી જાય એમ કહ્યું, તો અજાણપણે પણ લોકસંજ્ઞા રહી જાય ?
સમાધાન . વિચારી જોવું કે આપણે આવો સ્પષ્ટ વિચાર નથી કર્યો કે મને ફલાણો આમ જોવે તો સારું, ફલાણો આમ જોવે તો સારું, ફલાણો આમ જોવે તો સારું, પણ જ્યાં સુધી આત્મશાંતિનું ધ્યેય, પરિપૂર્ણતાનું ધ્યેય, મુમુક્ષુની ગણનામાં આવ્યાં છતાં કોઈ જીવ બાંધતો નથી . બીજાને તો પત્તો (લાગે એવું નથી આમાં, એને આમ રહે છે કે નહિ ? એને આમ રહે છે કે નહિ ? કે લોકો મને આમ જોવે તો સારું. બીજાનો એને બહુ વાંધો નથી) - અજાણ્યાનો એને કાંઈ વાંધો નથી. (પણ) જે લોકો મને જાણે છે, એ મને આમ જાણે છે, આવો મને સારો જાણે છે, ઠીક જાણે છે, એમાં ફેરફાર ન થાય તો સારું, એમ તો છે કે નહિ ? જાણ્ય. અજાણ્યું પણ એ વાત પડી છે કે નથી પડી ? આ એને લોકસંજ્ઞા કહે છે. | બધાને સારું લગાડવાનો તો એ શક્ય એટલો પ્રયત્ન કરે છે પણ એમાં એની મર્યાદા છે. એમાં એ પૂરો પહોંચી ન વળે (કેમકે) કોઈને ખરાબ લગાડવાનો પ્રસંગ પણ આવે, પણ છતાંય તે સામાન્યપણે એની આ એક અભિપ્રાયની સ્થિતિ છે. એના વિચારેલા કે વણવિચારેલા અભિપ્રાયની સ્થિતિ છે કે જે મને જાણે છે એમાં મારું જે સ્થાન છે એ ટકી રહે અને જળવાઈ રહે તો સારું, અને એ સ્થાનમાંથી હું Degrade ન થાઉં તો સારું. લોકોની દૃષ્ટિમાંથી Degrade ન થાઉં તો સારું, એ સ્થાનમાં હું આગળ વધું અને લોકો મને વધારે ને વધારે સારો ગણતાં જાય, એ તો એ ઇચ્છે જ છે. જીવની આ સ્થિતિ પડી છે. એને જ્ઞાનીઓએ “લોકસંજ્ઞા' કહી છે.
એ લોકસંજ્ઞામાં અનંતાનુબંધીના ચારે કષાય પડ્યાં છે. અને જીવને એ દુઃખનું મહાદુઃખનું અનંત દુઃખનું અનંત પરિભ્રમણનું કારણ છે. એ મોટી વિપત્તિ છે. અદરમાં સ્વરૂપનું ભાન રહેવું કે જેમાં લોકસંજ્ઞાના અભાવ છે, એને અહીંયા “સ્મરણ' શબ્દ વાપર્યો છે. અંતર સાવધાની છે, એ જીવની